ઓડિશા: કંધમાલ સંસદીય મત વિસ્તારના સાંસદ અને કે.આઈ.આઈ.ટીના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતા ભારતીય વૉલીબૉલ સંઘ (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા. તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના આ સર્વોચ્ચ પદ માટે ચૂંટાનારા ઓડિશાના પહેલા વ્યક્તિ છે. હવે પ્રોફેસર સામંતાને ઓલંપિક એસોસિએશન ઑફ ઈન્ડિયાના સભ્ય બનવાનો અધિકાર મળ્યો છે. આ ન માત્ર ઓડિશા વૉલીબૉલ એસોસિએશન માટે એક મહાન સમ્માન છે પરંતુ ઓડિશા માટે પણ ગૌરવની વાત છે. ઓડિશા વૉલીબૉલ એસોસિએશને પ્રોફેસર સામંતાને આ સિદ્ધી માટે અભિનંદન આપ્યા. સાથે જ ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રયાસો માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. પ્રોફેસર સામંતા ઉપરાંત પંજાબના રાજ કુમારને કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. જ્યારે 9 અન્યને વી.એફ.આઈ. (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા)ના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. રાજસ્થાનના અનિલ ચૌધરી વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના મહાસચિવ તરીકે બિનહરીફ ચૂંટાયા. નવી ચૂંટાયેલી આ બોડીનો કાર્યકાળ 2020થી 2024 સુધી છે. પ્રોફેસર સામંતાએ તેઓને અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાનો આભાર માન્યો. પ્રોફેસર સામંતાએ કહ્યું કે તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાને એક નવી ઉંચાઈઓ પર પહોંચાડવા પ્રયાસ કરશે
પ્રોફેસર અચ્યુતા સામંતા વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
Related Posts
હરિયાણા સરકાર દ્વારા આયોજિત સાત દિવસીય “રાષ્ટ્રીય એકતા શિબિર 2025” તા. 17 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર 2025 દરમ્યાન યમુનાનગર જિલ્લાના બિલાસપુરની સેન્ટ લોરેન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાઈ
. જેમાં સમગ્ર ભારતમાંથી હરિયાણા સહિત ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ,…
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત
પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન નું ઉદ્દઘાટન.
સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ભાષણ ની સ્મૃતિમાં પેટ્રિયટ…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના…
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય…
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…
શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં તાજેતરમાં શૈક્ષણિક સત્ર…
અદાણી સ્પોર્ટ્સલાઈનની ગુજરાત જાયન્ટ્સે નવી જર્સી લોન્ચ અને નવા કેપ્ટનની જાહેરાત કરી
અમદાવાદ, સંજીવ રાજપૂત: અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સે…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…