bhavnagar

પાલીતાણા તાલુકાના માલપરાથી તળાજા ને જોડતો બાયપાસ માર્ગ ની સર્વેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી

સાત કિલોમીટર નો લાંબો બાયપાસ નો સર્વે કાઢતા પાંચ ગામના ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

પાલીતાણા થી તળાજાને જોડતો મુખ્ય માર્ગ છે તેના બાયપાસ રોડ માટે છેલ્લા ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ લોકો માંગ કરી રહ્યા હતા કે પાલીતાણા થી તળાજા ને જોડવા માટે બાયપાસ રસ્તો કાઢવામાં આવે કારણ કે પાલીતાણા શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ પાર નથી જેના કારણે અવારનવાર ટ્રાફિકજામ ની સમસ્યાઓ થતી હોય છે

જેના કારણે લોકોની માંગને ધ્યાને લઈને સરકાર દ્વારા પાલીતાણા તળાજા માટે બાયપાસ રોડની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ આ સર્વેની કામગીરી શરૂ થતા જ પાંચ ગામના ખેડૂતો ક્યાંકને ક્યાંક નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે

જેને લઈને પાંચ ગામના ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે આ સર્વેની કામગીરી છે તે બાયપાસ રોડની સાત કિલોમીટર લાંબી કાઢવામાં આવી રહી છે જેમાં આ કામગીરીમાં પાંચ ગામના ખેડૂતોની જમીન કપાતમાં આવે છે અને જેમાં સરકારને પણ લાંબો ખર્ચ થઈ શકે છે તો સરકારને આ તમામ વસ્તુ ધ્યાને લઈને સારો વિકલ્પ કાઢવો જોઈએ તેવી ખેડૂતોની માંગ છે

પાલીતાણા તાલુકાના પાંચ ગામના ખેડૂતોનું કહેવું છે કે આ બાયપાસ રોડની સર્વેની કામગીરી માલપરા થી ડેમ પાસે આવેલ આલ્કોલ ફેક્ટરી સુધીની કાઢવામાં આવી છે જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન કપાતમાં જાય છે અને ખેડૂતોને પોતાની ખેતીમાં નુકસાન આવી શકે તેમ છે અને આ બાયપાસ કાઢવાની લંબાઈ પણ અંદાજે સાત કિલોમીટર જેવી છે

જેમાં સરકારને પણ મોટો ખર્ચ ચૂકવવો પડે તેમ છે જો આ રસ્તાની તળાજા રોડ ઉપર આવેલ વડલી આસપાસ બાયપાસ રસ્તા માટેની સર્વેની કામગીરી કરવામાં આવે તો ખર્ચ પણ ઓછો આવી શકે અને જ્યાં મોટા ભાગની સરકારી જગ્યા વાપરવા મળે તેમ છે ખેડૂતોનું કહેવું છે કે જ્યાં ઓછો ખર્ચ અને ખેડૂતોને જમીન કપાત નથી આવતી અને સરકારી જગ્યા છે

તેવામાં સર્વે કરવામાં નથી આવી રહ્યું અને જાણી જોઈને મોટો ખર્ચ કરવા જઈ રહ્યા છે જેથી ખેડૂતોને પણ ખૂબ મોટી નુકશાની આવી શકે તેમ છે જેને લઈને પાલીતાણા તાલુકાના માલપરા, લુવારવાવ, જામવાળી, મોટી પાણીયાળી, નાની પાણીયાળી સહિત પાંચ ગામના ખેડૂતો ભેગા મળીને ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

રીપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *