Politics

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૨૪ માટે સદસ્યતા અભિયાન પ્રારંભ કર્યું છે.

આ સદસ્યતા અભિયાનમાં ૧૧ કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ સદસ્યતા અભિયાન હેઠળ આપણા રાજયમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પ્રાથમિક સભ્ય બનાવી શરૂઆત કરવામાં આવેલ છે.

આમ ગ્રામ્ય સ્તરે રહીને લોકો સાથે સર્વસમાજ તેમજ સર્વ જ્ઞાતિના લોકોના સર્વાંગી વિકાસ માટે લોક કલ્યાણના કાર્યો થકી રાજકીય તેમજ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે શ્રી લક્ષ્મણસિંહ કે. બારડ (પૂર્વ પ્રમુખશ્રી દાંતા તાલુકા પંચાયત) કામગીરી કરવામાં આવે છે જેના પરિણામે જ તેમના સુપૂત્ર શ્રી વનરાજસિંહ એલ. બારડને આવી જવલંત સફળતા મળી છે.

જે લક્ષ્યને પૂર્ણ કરવામાં સહભાગી બનવાના ઉદેશ સાથે દાંતા વિસ્તારમાં વનરાજસિંહ એલ. બારડ દ્વારા બીડું ઝડપવામાં આવેલ. તેઓ અને તેમની ‘Lionet On Filed” ટીમ દ્રારા દિવસ-રાત જોયા વિના દાંતા પંથકમાં માત્ર ૩૪ દિવસમાં ૪૦,૧૫૧ સદસ્યો બનાવી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન -૨૦૨૪ માં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સદસ્ય બનાવી પ્રથમ નંબર મેળવી રાજકીય ક્ષેત્રે સક્રીય ભાગીદારી નોંધાવામાં આવેલ છે.

જે તમામ સભ્યો દાંતા વિધાનસભા મતદાર વિભાગમાંથી જ બનાવામાં આવેલ છે. સમગ્ર રાજયમાં સૌથી વધુ સભ્યો બનાવાના આ સદકાર્યમાં શ્રી વનરાજસિંહ એલ. બારડ અને એમના પિતાશ્રી એલ. કે.બારડ (પૂર્વ પ્રમુખશ્રી દાંતા તાલુકા પંચાયત) ના ગ્રુપના તમામ મિત્રો, સગા/સંબંધીઓ તેમજ આસપાસના ગામના હિતેચ્છુક લોકોના સાથ સહકારથી સફળતા મળેલ છે. જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે આ સફળતામાં સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કર્યા વિના હોમ ટુ હોમ જઈને લોકો સુધી ભાજપ સંગઠનની વિચારધારા સમજાવીને સભ્યો બનાવામાં આવેલ છે.

આ જે યશ સમગ્ર ગુજરાતમાં આપણને મળે છે તે બદલ ખરેખર .. Lionet On Filed’ ટીમના દરેક મિત્રો અને આ કાર્યમાં મદદરૂપ થનાર દરેક શુભેચ્છકનો હૃદરપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ અગાઉ સંગઠન પર્વ ૨૦૫૯ અંતર્ગત ભાજપા સદસ્યતા અભિયાન કરવામાં આવેલ.

જેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની ‘રાષ્ટ્રપ્રથમ” ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરણા લધુ જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્ર, વિવિધ વર્ગ તથા વિવિધ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ તેવા ઉમદા હેતુથી દાંતા પંથકમાં લોકકલ્યાણના કાર્યો કરનાર શ્રી વનરાજસિંહ એલ. બારડના પિતાશ્રી એવા લક્ષ્મણસિંહ કે. બારડ(પૂર્વ પ્રમુખશ્રી દાંતા તાલુકા પંચાયત) દ્વારા ૫૧,૦૦૦ લોકોને ભાજપા સંગઠનની વિચારધારામાં જોડવામાં આવ્યા હતા. જેની નોંધ પણ ભાજપ સંગઠન દ્વારા રાજ્ય સ્તરે લેવામાં આવેલ હતી.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *