Gandhinagar

રાજ્યપાલએ સ્મૃતિભેટ અર્પણ કરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાજભવનથી ભાવભીની વિદાય આપી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતની ચાર દિવસની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ગાંધીનગરથી વિદાય લીધી હતી. સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનથી રાષ્ટ્રપતિજીને ભાવભીની વિદાય આપી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સ્મૃતિભેટ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ મહોદયાએ પણ સામે સ્મૃતિભેટ અર્પણ કરી હતી.

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 27મી ફેબ્રુઆરીએ એન.આઇ.ડી.ના દીક્ષાંત સમારોહમાં અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા અમદાવાદ અને ગાંધીનગર પધાર્યા હતા. રાજભવનમાં રાત્રિ રોકાણ પછી આજે તેઓ રણોત્સવમાં ભાગ લેવા કચ્છ જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ મહોદયા આજે સાંજે કચ્છથી દિલ્હી જશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રી ગોરઘનભાઇએ યોજી પ્રેસવાર્તા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: નેશનલ હેરાલ્ડ મામલે દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ…

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક સંપન્ન

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ…

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: સ્વર્ણિમ સંકુલ - ૨, ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *