જામનગર: જામનગર ખાતે મનપા ચૂંટણીમાં બીજેપી દ્વારા 64 સીટોમાંથી 50 પર કબજો મેળવી જીત મેળવી હતી ત્યારે જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે આજે બીજેપીના જિલ્લા પ્રભારી ધનસુખભાઈ ભંડેરી દ્વારા મનપા પદાધિકારીઓનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર ડેપ્યુટી મેયર સહિત પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જે પ્રસંગે શહેર પ્રમુખ ડૉ વિમલ ભાઈ, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિત બીજેપીના નેતાઓ દિગજજો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી દ્વારા મેયર સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેયર તરીકે બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં મનીષ કટારીયા, શાસક પક્ષ નેતા તરીકે કુસુમબહેન પંડ્યા અને દંડક તરીકે કેતન ગોસરાણીની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મેયર તરીકે બીનાબેન કોઠારીનું નામ બોલતા જયશ્રીરામ અને તાળીઓના ગડગડાટથી સર્વને વધાવી લેવામાં આવ્યા હતા તો બીજી તરફ સર્વે ઉપસ્થિત વિજયી કોર્પોરેટરો દ્વારા તમામ પદાધિકારીઓને વધાવી લેવામાં આવ્યા હતા. નામોની જાહેરાત થયા બાદ તમામ નવ નિયુક્ત પદાધિકારીઓ ટાઉન હૉલ ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગર મનપાની પ્રથમ સાધારણ સભા મળી હતી જ્યાં વિરોધ પક્ષના નેતાઓ સહિત ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સર્વે નવા પદાધિકારીઓને આવકારવામાં આવ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા પ્રથમ સાધારણ સભામાં જ પોતાના વોર્ડની પાણીની સમસ્યા સાથે ગંદા પાણીની બોટલ મેયર સમક્ષ ધરી વોર્ડમાં પાણીની સમસ્યાના ઉકેલ અંગે રજુઆત કરી હતી તો બીજી તરફ કોંગ્રેસના ના નેતા અલ્તાફ ખફી દ્વારા તમામ નવનિયુક્ત લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં પક્ષને ના જોતા સહકાર સાથે લોકોના કામ કરવા બાબતે સહકાર આપવા જણાવ્યું હતું. જામનગર શહેરના નવા મેયર અને ડેપ્યુટી મેયરના નામ આવતાંની સાથે જ ઘણા એવા પણ લોકો હશે જેમના અરમાનો પર પાણી ફરી વળ્યું હોય તેમ ચર્ચા જોવા મળી હતી. ખેર નવા ચૂંટાયેલા મેયર, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરો પ્રજા લક્ષી કામો તરફ ધ્યાન આપી જામનગર શહેરને વધુ વેગવંતુ બનાવે તેવી પ્રજાએ આશા રાખી છે અને બીજેપી દ્વારા પણ આ તટસ્થ અને કાર્યભાવી વ્યક્તિઓને પ્રજાના કામો પૂર્ણ કરવા નિયુક્ત કર્યા છે અને તેઓ પૂર્ણ કરશે તેવી આશા સેવી છે. ઉપસ્થિત તમામ લોકોએ સર્વે નવનિયુક્ત પદાધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા.. તમામ નવા નિમાયેલ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન..
જામનગર શહેરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર… બીજેપી કાર્યાલય થી ટાઉન હૉલ સુધીની સફર..વાંચો..
Related Posts
Kiran Panjwani: The Woman Empowering India’s Modeling Aspirants through Glam & Elegance
In a world where glamour is often misunderstood as superficial, Kiran Panjwani…
ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ…
ભાવનગરની ૪૦મી રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરવા પોલીસ તંત્રનો ચાંપતો બંદોબસ્ત.સમગ્ર રૂટ પર આશરે પાંચ હજારથી પણ વધુ પોલીકર્મીઓ ફરજ પર તૈનાત
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન…
ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અખાડાના કૌશલ્ય દાવો રજૂ કરાયા.તલવાર બાજી, ચક્ર ફેરવવું, પટ્ટાબાજી, લાઠી ફેરવવી સહિતની કલા આકર્ષણનું કેન્દ્ર બન્યું
ભાવનગરમાં યોજાઇ રહેલ ભગવાન જગન્નાથજી ની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિનીની બહેનો…
ભોઈ સમાજનાં યુવાનોએ ભગવાનનાં રથના દોરડાને હાથેથી ખેંચી ભગવાનને કરાવી રહ્યા છે નગરચર્યા
ભાવનગર ખાતે સમગ્ર ભારતમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમે આવનાર ભગવાન શ્રી…
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રા.કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવાયું
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની…
પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યાં
આજરોજ બપોરે 1:30 કલાકે આટકોટ અને બાબરાની વચ્ચે પરપ્રાંતિય શ્રમિક ટેક્ટર લઈને જઈ…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
આજે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાઈ.
"એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ" થીમ હેઠળ ભાવનગરમાં આજે 11 માં…
હારીજ-રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, બે યુવાનો ઈજાગ્રસ્ત
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર CNG…