Politics

આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યું કે “ આમ આદમી પાર્ટી નું સદસ્યતા અભિયાન ગુજરાત માટે રાજકીયક્રાંતિ નો સુર્યોદય છે, ભય ભૂખ અને ભ્રષ્ટાચાર સામે પરિવર્તન નો અવાજ છે , પરિવર્તન ની લડાઈ છે

અમારા સંગઢન ના મહાયજ્ઞ માં અમે વિશ્વાસ થી કહીએ છીયે કે ભાજપ ના પેજ પ્રમુખ આમ આદમી પાર્ટી ના પેજ લીડર  બની રહિયા છે, કોંગ્રેસ માં દાઝેલા ક્રાંતિવીર આમ આદમી પાર્ટી માં જોડાઈ ને  ગુજરાતની જ્યોત બની રહિયા છે , ગુજરાત ની જનતા રાજકીય પરિવર્તન માટે ઉમ્મીદ નું કરીન બની જોડાઈ રહી છે

રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું કે આ સદસ્યતા અભિયાન ને ઘર ઘર સુધી પહોંચાડવા માટે અમેસમગ્ર ગુજરાત માં વાર્ડ અને બૂથ પ્રમાણે મીટિંગ કરી સગઠન મજબૂત કરવાનું કામ કરી રહિયા છીયે છે ત્યારે ભાજપ-કોંગ્રેસ માંસીયાર ગિરિથી, મિલીભગત થી પીડિત હેરાન પરેશાન સર્વ સમાજ, સર્વ ધર્મ , મહિલાઓ, યુવાનો દરેક ના પ્રચંડ આશીર્વાદ આમ આદમી પાર્ટી ને મળી રહિયા છે,

હું રેશ્મા પટેલ ફરી એક વાર ગુજરાત ની જનતા ને આહવાન કરું છું કે આવો સૌ સાથે મળી પરિવર્તન લાવિય, ભય ભૂખ ભ્રષ્ટાચાર થી ગુજરાત બચાવીને, ભાજપ ને ભગાડીએ.

વધુમાં ગુજરાત ની જનતા ને કહેવા માંગુ છું કે ભાજપ-કોંગ્રેસ ની માનસિકતા માંથી બાર નીકળો , ભાજપ-ભાજપ ના ટાટિયા ખેચ, ભાજપ-કોંગ્રેસ ની આક્ષેપ-પ્રતિ આક્ષેપ બાજી કરી રહિયા છે અને આ બધા વચ્ચે ગુજરાત પીડાઈ છે ,

જનતા પીડાઈ છે અને એ નું ગુજરાત માં સૌથી મોટું ઉદાહરણ સંત સુરા સાવજ નું આ આપડું જુનાગઢ છે, જેની બરબાદી ની ચર્ચા કેબિનેટ માં કરવા ગુજરાત ના સીએમ મજબૂર થયા,

ત્રણ એન્જિન ની સરકાર જુનાગઢ મહાનગર માં છે છતાં પણ ભ્રષ્ટાચાર ને છુપાવા માટે ભાજપ લેટર બોમ્બ ફેંકે છે, ભાજપ જ ભાજપ ઉપર દોષ ના ટોપલા નાખવા માંથી ઊંચું નથી આવતું,

ભાજપ- કોંગ્રેસ ટાટિયા ખેચ માથી ઊંચું નથી આવતું અને આ બધા વચ્ચે જૂનાગઢ જનતા પીસાઈ છે, ભાજપ ના ધારાસભ્ય કે છે કે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય એ કૌભાંડ કરિયું, કોંગ્રેસ ના પૂર્વ ધારા સભ્ય કે છે કે સાબિત કરો, અમે આમ આદમી પાર્ટી કહીએ છીયે કે ભ્રષ્ટાચાર થી પેટ ભરાય ગયા હોઈ તો રોડ રસ્તા ગટર સરખા કરો , સુવિધા આપો ,
આજે મહાનગર માં બે-બે ફૂટ ના ખાડા પડિયા છે,  પાણી ભરાઈ છે, ગટરો છલકાઈ છે રોડ-રસ્તા ખાઈ જાવ છો

જુનાગઢ મહાનગર ને ખાડાનગર બનાવી દીધું છે, હવે જપી જાજો
આમ આદમી પાર્ટી તમારી પોલમ પોલ નહીં ચલાવે, આગામી દિવસો માં અમે દરેક વાર્ડ માં જાસુ, પ્રજાને શંભાળીસું અને પ્રજા ના પ્રશ્નો ના સમાધાન માટે આ ૩ પૈડા ની ભાજપ ની સતા કામ કરવા મજબૂર કરશું એ વાત યાદ રાખજો, આ અમારી ધમકી નથી આ ચેતવણી છે .

જૂનાગઢ ની જનતાને છે કેવું છું કે જુનાગઢ ના રાજકીય ગુંડા હોઈ કે અસામાજિક ગુંડા હોઈ કોઈ થી ડરવાની જરૂર નથી અમે તમારા માટે લડસુ, કોઈ તંત્ર સંત્ર ધાક ધમકી આપે ડરાવે અમારો સંપર્ક કરજો અમે આવીશું અને પાડી દઈશું એને

ગુજરાત માં જ્યાં જ્યાં ભાજપ રાડો પાડી ટ્રિપલ એન્જિન – ટ્રિપલ એન્જિન કરે છે એને મોઢે મોઢ મારજો કે એન્જિન તો તમારું પૂરું થઈ ગયું હવે ખાલી ત્રણ પૈડા ની સરકાર રહી છે સુધરી જાજો બાકી આમ આદમી પાડી દેશે

અમારી સાથે જોડાવા માટે 9512040404 નંબર ઉપર મિસકોલ કરી અમારી તાકાત બનો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *