Latest

જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા જૂનાગઢ જીમખાના ખાતે જિમ્નેશિયમને ખુલ્લું મૂકવામાં આવ્યું

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જીમખાના એ જૂનાગઢ શહેરમાં હાર્દ સમાન સંસ્થા છે. જે રીક્રીએશનલ પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, બૌદ્ધિક પ્રવૃત્તિઓ વગેરેને પ્રોત્સાહન આપે છે.જૂનાગઢ જીમખાના ખાતે જૂનાગઢ જીમખાના નવીનીકરણ ફેઝ ૧ અંતર્ગત જિમ્નેશિયમ બિલ્ડીંગ, અદ્યતન જિમ્નેશિયમ,નવી સિક્યુરિટી કેબિન,નવુ વિદ્યુતકરણ,ગ્રાઉન્ડ લેન્ડસ્કેપિંગ બ્યુટીફિકેશન વગેરે કામગીરી પૂર્ણ થતા ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જીમખાના ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી અધતન સાધનો પૂરા પાડવામાં આવેલ છે. હાલ જિમ્નેશિયમમાં બે પ્રકારના વિભાગો છે. કાર્ડીઓ અને સ્ટ્રેન્ધનીંગ, કાર્ડિયો-જીમમાં ચાર ટ્રેડમિલ, સ્પીન બાઇક વગેરે સાધનો છે.જ્યારે સ્ટ્રેન્ઘનીંગ જીમ ખાતે બોડી બિલ્ડીંગના અધ્યતન મશીનો વસાવવામાં આવ્યા છે.

જીમ બિલ્ડિંગના આગળના ભાગમાં ગ્રાઉન્ડનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત જીમ બિલ્ડીંગ ને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ તમામ સુવિધાઓનો લોકાર્પણ જિલ્લા કલેકટર અને જીમખાના અધ્યક્ષ અનિલકુમાર રાણાવસિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.

જેમાં સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર,જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર,શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા જીમખાનાના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મેનેજિંગ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જીમખાના ખાતે અદ્યતન સુવિધા સભ્યો માટે ખુલ્લી મુકવામાં આવી છે.

જિલ્લા કલેકટર અને જીમખાના અધ્યક્ષ અનિલકુમાર રાણાવસિયા દ્વારા આ તકે ફિટ ઈન્ડિયા, વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો ઉલ્લેખ કરી લોકને ફિટનેસ પ્રત્યે સજાગ રહેવા અને અદ્યતન જિમ્નેશિયમ આ દિશામાં ઉપયોગી બનશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *