bhavnagar

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા

પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા પેસેન્જર ભાવનગર થી પાલીતાણા આવતી વખતે રસ્તામાંથી પર્સમાંથી એક સોનાના દાગીના ની ચોરી થઈ હતી જે સંદર્ભમાં મહિલાના પરિવારજનો દ્વારા પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા તેમજ પૂર્વ પ્રમુખ અશોકભાઈ નૈનાણી નો સંપર્ક મહિલા પેસેન્જર અને તેના સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો

જેના અનુસંધાનમાં બંને આગેવાનોએ ભારત સરકાર રેલવે સલાહકાર સમિતિના સભ્ય તરીકે રેલવે સ્ટાફને તેમજ રેલવે પોલીસ ને સંબંધિત સૂચનો કરતા તાત્કાલિક ધોરણે કામગીરી માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ આ કામગીરી દરમિયાન બંને આગેવાનો દ્વારા ભાવનગર લોકસભાના સાંસદ શ્રી મતી નિમુબેન બાંભણિયા ના પીએ પ્રકાશભાઈ નો સંપર્ક કરતા તેમને પણ રેલવે પોલીસને તેમજ સ્ટાફને જરૂરી સૂચના આપી હતી

જે અંતર્ગત તે દિવસ રાત્રે જ સ્ટાફ તેમજ રેલવે પોલીસની ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી રહી હતી અને તે સોનાનો દાગીનો મેળવવામાં સફળતા મળી હતી. ભરતભાઈ માંડલિયા તેમજ અશોકભાઈ નૈનાણીએ બંને સ્ટાફ તેમજ રેલવે પોલીસનો વ્યક્તિગત આભાર માન્યો અને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પેસેન્જરે હર્ષની લાગણી સાથે આ બંને આગેવાનો તેમજ તમામ સ્ટાફનો આભાર માન્યો હતો

અહેવાલ વિશાલ જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા પાલીતાણા સિન્ધી સમાજ…

કુલ રૂ.૧૦,૧૮૩/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

1 of 67

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *