Ahmedabad

બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટ રક્ત એકત્ર થયું

અમદાવાદ : સંજીવ રાજપૂત: બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિ પર મહારક્તદાન અભિયાન આયોજિત કરી વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ભારત અને નેપાળમાં મનાવ્યો.

અમદાવાદ શહેરમાં વિવિધ 21 બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્ર પર રક્તદાન કેમ્પનું આયોજન થયેલ. જેમાં કુલ 1260થી વધુ રક્તદાતાઓ દ્વારા 1018 બોટલ એકત્ર કરવામાં આવી. આ રક્તદાન કેમ્પમાં 30 થી 50 વર્ષની વયના 558 રક્તદાતાઓ રહ્યા. જેમાં સૌ પ્રથમવાર રક્તદાન કરનાર 375 રક્તદાતાઓ હતા.

બ્રહ્માકુમારીઝના મીડિયા સંયોજિકા બ્ર. કુ. ડૉ. નંદિનીબેને માહિતી આપી કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પ્રથમા બ્લડ બેન્ક, સર્વોદય બ્લડ બેન્ક, અમદાવાદ સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક, અમદાવાદ કેન્સર હોસ્પિટલ બ્લડ બેન્ક, લાયન્સ ક્લબ બ્લડ બેન્ક જેવી વિવિધ બ્લડ બેંકોના સહયોગથી આજે મેગા રક્તદાન કેમ્પ સફળ રહ્યો. દરેક રક્તદાન સ્થળોએ સમાજના પ્રતિષ્ઠિત વિશિષ્ઠ મહાનુભાવો દ્વારા આદરણીય રાજ્યોગીની દાદી પ્રકાશમણીજીને પુષ્પમાળા, વેલ્યુ સ્ટિક અર્પણ કરી, દીપ પ્રગટાવી હૃદયાંજલી આપી કેમ્પનો મંગલ પ્રારંભ કર્યો.
વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇનના કડક પાલન સાથે રક્તદાન પ્રક્રિયા હાથ ધરાયેલ.

સમગ્ર ભારતમાં ૬૫,૦૦૦ યુનિટ રક્ત એકત્ર થયેલ છે, જે આજે રાત સુધીમાં એક લાખના લક્ષ્યને આંબશે. જેમાં ૮,૦૦૦થી વધુ સમર્પિત બ્રહ્માકુમારી બહેનોએ પણ રક્તદાન કર્યું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ…

Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, એબીએનએસ: આ વખતે ગુજરાતની ફિઝામાં માત્ર પતંગો નહીં, દેશનો ગર્વ પણ આકાશે…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

અમદાવાદ, એબીએનએસ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *