Ahmedabad

નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નારાયણા ગ્રુપ દ્વારા NSAT 2025 ની 20મી આવૃત્તિને લોન્ચ કરાઈ હતી જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ₹51 કરોડની શિષ્યવૃત્તિ અને ઇનામોનો રેકોર્ડ બ્રેક સમાવેશ થાય છે.

અમદાવાદ ખાતે ૪૬ વર્ષની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા, નારાયણા ગ્રુપે અમદાવાદના નારાયણા કોચિંગ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું જેમાં નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (NSAT) 2025ની ૨૦મી આવૃત્તિ સફળતાપૂર્વક લોન્ચ કરી. આ ઘટના એટલા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની કારણ કે નારાયણા તેની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી મહત્વાકાંક્ષી NSAT આવૃત્તિ સાથે પરત ફરી છે, જેમાં વિશેષ રીતે ₹50 કરોડની શિષ્યવૃત્તિ તથા ₹1 કરોડના રોકડ ઇનામ આપવામાં આવશે.

ગત 2 દાયકાઓથી ભારતભરમાં શૈક્ષણિક પ્રતિભાઓના સિંચન તથા માર્ગદર્શન બાદ NSAT 2025 યુવા વર્ગમાં શૈક્ષણિક તકો વધારવા માટે નારાયણાની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. શૈક્ષણિક સમુદાયના પ્રખ્યાત શિક્ષણવિદો, મીડિયા પ્રતિનિધિઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને નારાયણા ગ્રુપના અધિકારીઓ આ સીમાચિહ્નરૂપ ઘટનાના સાક્ષી બન્યા તથા આ લોન્ચ સમારોહને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વિમાન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદમા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે ૧ મહિનો…

શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નર તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત: 148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે…

કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૪૮મી રથયાત્રાના પાવન અવસરે…

1 of 21

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *