Ahmedabad

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે “નવરંગી નવરાત્રી 2025″નું પ્રિ- સેલિબ્રેશન યોજાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત – અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક, “નવરંગી નવરાત્રી 2025”, આ વર્ષે કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે. આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે. આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને 9મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ- નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સફાયર ઈવેન્ટ & એન્ટરટેઇન્મેન્ટના કેતન પટેલ અને પ્રીત પટેલ, ગુજરાતી ઈવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા (જીઈએ) & જીઈએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ તથા પલક પટેલ અને રાગરંગ ઈવેન્ટ્સના નિમેશ પટેલ અને કેવિન પટેલ દ્વારા આયોજિત આ ગરબા ઉત્સવમાં, આત્મીય સંગીત, સાંસ્કૃતિક વાતાવરણ અને આધુનિક સુવિધાઓ સાથે ગુજરાતીઓ માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ લાવવામાં આવશે. “લિગસી બિહાઈન્ડ ધ લાઈટ્સ”ની ભાવના સાથે આ મહોત્સવ વૈશ્વિક ઉજવણીની ઝલકને ગુજરાતી મૂળ સુધી લઈ આવે છે.

આ વર્ષે ગરબાની રાતોને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો જેવી કે વ્યાસ બ્રધર્સ, નિશાંત ઉપાધ્યાય, પ્રહેર વોરા, ડિમ્પલ પંચોલી, અક્ષત પરીખ, પ્રિયંકા બારોટ, જોજો દવે, કૌશલ પિઠડીયા, આર્ચિત પાટડીયા અને જોજો દવે પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે. તેમના અવાજમાં ભક્તિ, તાલ અને ઉત્સાહનો સંગમ દરેક રાતને ઝગમગાવી દેશે.

પાછલા વર્ષોની ઉજવણીમાં 65,000થી વધુ લોકોએ ઉપસ્થિતિ આપી હતી, જેમાં 12 થીમ આધારિત સજાવટ, 12થી વધુ ગાયકોના પરફોર્મન્સ અને મહા આરતી જેવા આકર્ષણો દર્શકોને યાદગાર અનુભવ આપી ચૂક્યા છે. આ વર્ષની ઉજવણીમાં પણ અનેક નવા રંગો અને નવતર કાર્યક્રમો ઉમેરવામાં આવ્યા છે.

કર્ણાવતી ક્લબ & રિસોર્ટ ખાતે વિશાળ જગ્યા, પાર્કિંગ સુવિધા, લક્ઝુરિયસ એમ્બિયન્સ, ફૂડ કોર્ટ અને ટોપ-ટિયર સાઉન્ડ સેટઅપ સાથે સિક્યોર અને વેલ-મેઈન્ટેઈન્ડ પરિસર ઉપલબ્ધ છે. આથી, દરેક મહેમાનને આરામદાયક અને યાદગાર અનુભવ થશે.

નવરંગી નવરાત્રી 2025 સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનો એવો ઉત્સવ છે, જે સમગ્ર ગુજરાતના ગરબા રસિકો માટે યાદગાર ક્ષણો સર્જશે.

તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ વર્ષે નવરંગી નવરાત્રી 2025 આપને આમંત્રિત કરી રહ્યું છે એક એવી ઉજવણી માટે, જ્યાં પરંપરા, લય અને ભવ્યતા એક સાથે મળી ને રંગે ચંગે ઝગમગી ઉઠશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *