Ahmedabad

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે.
નેશનલ હાઇવે ૧૪૭(NH147) પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં માર્ગો પર હોટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પ્રગતિમાં છે.

જે અંતર્ગત સરખેજ-ગાંધીનગર હાઇવેના માર્ગો પર જરૂરિયાત અનુસાર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. સરખેજ-ગાંધીનગર હાઇવે પર મુસાફરોની સલામતી ધ્યાને રાખતા ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે ક્ષતિ પામેલા માર્ગો પર હોટ મિક્ષ દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ૧૪૭ પર વરસાદથી પ્રભાવિત માર્ગોના રીપેરીંગ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદની ટીમો સતત પ્રયાસરત છે.

જેસીબી, રોલર, ડમ્પર, ગ્રેડર, ટ્રેકટર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૭(NH147) પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વિમાન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદમા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે ૧ મહિનો…

શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નર તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત: 148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે…

1 of 21

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *