Ahmedabad

પીએમ મોદી દ્વારા ચાંદલોડિયા- B રેલ્વે સ્ટેશન ખાતે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર’નું ઈ-લોકાર્પણ કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાંદલોડિયા- B રેલ્વે સ્ટેશન ખાતે ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર’નું ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન ચાંદલોડિયા – B રેલ્વે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના દરભંગાથી દેશમાં એકસાથે 18 ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો’નું ઈ – લોકાર્પણ કર્યું હતું, જેનું જીવંત પ્રસારણ અમદાવાદ ચાંદલોડિયા B રેલ્વે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈને ઉપસ્થિત તમામ લોકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, અમદાવાદ ચાંદલોડિયા B રેલવે સ્ટેશન સહિત 18 રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરાઈ છે.

જે બદલ આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ અને દેશ આ પ્રકારની ઉમદા કામગીરી બદલ આજે ગૌરવ અનુભવી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર’ થકી લોકોને ખૂબ જ નજીવા દરે ગુણવત્તાયુક્ત દવા પ્રાપ્ત થશે, જેથી લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.

આજે દેશમાં 13,822 ‘પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર’ કાર્યરત છે, અને સરકાર દ્વારા હજુ પણ તેમાં વધારો આવી રહ્યો છે તે આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે, તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે શ્રીમતી પ્રતિભાબહેન જૈન દ્વારા મહિલા પોલીસકર્મીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સાબરમતીના ધારાસભ્ય હસમુખભાઈ પટેલે કર્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદ મંડલના રેલવે પ્રબંધક અને DRM સુધીરકુમાર શર્મા, સિનિયર DCM શ્રી અનુ ત્યાગી તેમજ રેલવેના વિવિધ વિભાગના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *