Ahmedabad

અમદાવાદમાં સહકારી સંસ્થાઓ દ્વારા “નમો પોસ્ટકાર્ડ અભિયાન”

રિપોર્ટ: અનુજ ઠાકર.

અમદાવાદ : અમદાવાદ શહેરી વિસ્તારની વિવિધ સહકારી સંસ્થાઓ જેવી કે મહિલા શરાફી મંડળી, અન્ય શરાફી મંડળી તેમજ સેવા મંડળીઓ દ્વારા દેશનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે “નમો પોસ્ટકાર્ડ અભિયાન” હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત સહકાર ક્ષેત્રે કરવામાં આવેલ મહત્વપૂર્ણ સુધારાઓ અને કેન્દ્ર સરકારના નિર્ણયો માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને સહકારિતા વિભાગને અલગ બનાવી તેને ગૃહમંત્રી માન. અમિતભાઈ શાહને સોંપવામાં આવ્યો ત્યારથી “સહકારથી સમૃદ્ધિ” સૂત્રને સાકાર કરવા અનેક પ્રયાસો થયા છે.

સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને 0% વ્યાજ સહાય સાથે ધિરાણ સુવિધા, CSC સેવા, જન ઔષધિ કેન્દ્ર, PMKSK, પ્રાકૃતિક ખેતીના લાભો, ટેકાના ભાવે MSP અને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. ઉપરાંત, જિલ્લાની સહકારી બેંકોમાં એકાઉન્ટ ખોલવાના કારણે બેંકોની થાપણો અને સમગ્ર ક્ષેત્રે સધ્ધરતા જોવા મળી રહી છે.

આ રીતે સહકારી સંસ્થાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તેમજ “સહકારથી સમૃદ્ધિ” સૂત્રને વાસ્તવિકતામાં ઉતારી બતાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *