Ahmedabad

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને રાજ્ય મંત્રી જગદીશભાઈ પંચાલની પ્રેરક ઉપસ્થિતિ થઈ બેઠક

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરોના પછાત વિસ્તારોમાં આવેલ સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણમાં આવી રહેલી અડચણોને દૂર કરવા તથા આ પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને લોકોને સુલભ બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને રાજ્ય મંત્રી જગદીશભાઈ પંચાલ, મહેસૂલ સચિવ તથા સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી.

આ બેઠકમાં દસ્તાવેજીકરણની હાલની પ્રક્રિયાને સરળ બનાવવા, જરૂરી કાયદાકીય સુધારા કરવા તથા વિકાસના મુખ્ય પ્રવાહમાં પછાત વિસ્તારોના નાગરિકોને લાવવા માટે શક્ય તેટલા સંવેદનશીલ અને જનહિતના નિર્ણયો લેવા અંગે ચર્ચા થઈ.

રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી એવી સૂચિત સોસાયટીઓના નાગરિકોને, જેઓ વર્ષો સુધી પોતાનું રહેઠાણ હોવા છતાં દસ્તાવેજી માલિકી મેળવવામાં અક્ષમ રહ્યા છે, તેમને માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે.

આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાકીય, શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભો પ્રાપ્ત કરી શકશે. સાથે સાથે પછાત વિસ્તારોનો નકશો પણ શહેરના મુખ્ય ધારા સાથે સંકળાઈ શકશે, જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી…

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ…

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *