Breaking News

ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

લોકોને સીધી રીતે સ્પર્શથી સેવાઓ તેમના ઘરઆંગણે જ મળે તે માટે સેવા સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ સાબિત થયો છે

ઘોઘાના છાયા, શહેરમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ,, મહુવાના ખૂંટવડા ગામે, જેસરના જૂના પા તથા સથરા ખાતે સેવાસેતુ કાર્યક્રમો યોજાયાં

લોકોને સીધી રીતે સ્પર્શથી વ્યક્તિગત બાબતોનું નિવારણ તેમના ઘર આંગણે જ આવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેની કડીમાં આ વર્ષે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ ભાવનગર જિલ્લા અને શહેરમાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યો હતો.

રાજ્યભરમાં પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓનું નિરાકરણ તેમના ઘર આંગણે મળી રહે તેવાં ઉમદા હેતુથી દરેક માસના બીજા શનિવારે તાલુકાના એક ગામમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

જે અન્વયે ઘોઘાના છાયા, શહેરમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ,, મહુવાના ખૂંટવડા ગામે, જેસરના જૂના પા તથા સથરા ખાતે સેવાસેતુ કાર્યક્રમો યોજાયાં હતાં.

આ સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોને આવક, જાતિ, નોન ક્રિમીલેયર, ડોમીસાઇલ સર્ટી., સીનીયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતા પ્રશ્નો, માં અમૃતમ કાર્ડ યોજના, આધાર કાર્ડ કઢાવવા, માં વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોધણી, જમીન અંગે નવી નોંધ, દાખલ અરજી, સુધારા અરજી, વિધવા, વયવંદના, અપંગ વૃધ્ધ–નિરાધાર સહાય હેઠળ લાભ લેવાની અરજી, પ્રોપર્ટી ટેકસ, ગુમાસ્તધારા જન્મ મરણના દાખલા, ટાઉન પ્લાનીંગ, પ્લાનની નકલ, વ્યવસાય વેરા વગેરે તથા રાજય સરકારશ્રીનાં કૃષિ, પોષણ યોજના, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજના હેઠળનાં  લાભો આપવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે, સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ સુધી પહોંચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવાં પડે તેવા ઉમદા હેતુથી સમગ્ર રાજ્યમાં આઠમાં તબક્કાના સેવાસેતુના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.


સેવા સેતુ કાર્યક્રમ દ્વારા લોકોને આયુષમાન કાર્ડ, આવકના દાખલા, જમીનના ૭-૧૨,૮-અ ના દાખલા, ગંગાસ્વરૂપ યોજના, આરોગ્યની PM JAY જેવી વિવિધ ૫૬ જેટલી સેવાઓ લોકોને સ્થળ પર જ મળી રહે અને “સરકાર પ્રજાના દ્વારે” એવી લોકોને પ્રતિતિ થાય એવો જિલ્લા વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય છે.

રાજય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓનો લાભ મળે. આ ઉપરાંત રાજ્યના જરૂરીયાત મંદ નાગરિકોને તેમના હક્કનો લાભ તેમના ઘરઆંગણે જ મળે તેઓ ભાવ આ સેવા સેતુ કાર્યક્રમ પાછળ રહેલો છે.

સેવા સેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રીઓ,  મામલતદારશ્રીઓ સહિતના સંબંધિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, ગ્રામજનો, સરપંચશ્રીઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 345

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *