bhavnagarBreaking NewsEducationGujarat

રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરષોતમભાઈ સોલંકીએ શિહોરના રાજપરા,રામનગર,ગોપડેરી અને પાળીયાધારની શાળાના પાત્રતા ધરાવતા બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો

શાળા પ્રવેશોત્સવના આજે અંતિમ દિવસે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોતમભાઇ સોલંકીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાની શ્રી રાજપરા (ખોડિયાર),રામનગર,ગોપડેરી અને પાળીયાધાર ગામની પ્રાથમિક શાળાઓમાં આંગણવાડીમાં-૮૩,બાલવાટિકા-૯૨ ભુલકાઓનું નામાંકન તેમજ ધો.૧ના-૯૧ .વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.મંત્રીશ્રીનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.

રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોતમભાઇ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું છે ત્યારે,પાત્રતા ધરાવતા તમામ બાળકોએ અવશ્ય ભણાવવા જોઇએ.શિક્ષણ મેળવવાથી ઉજ્જવળ કારકિર્દી બનવાની સાથે ધાર્યા લક્ષ્યાંકો સિધ્ધ થાય છે,તેમ જણાવી પ્રવેશ મેળવનાર તમામ બાળકોને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે જિલ્લાના આગેવાન શ્રી ભરતભાઇ મેર તેમજ શ્રી માસાભાઇ ડાંગરે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની વિકાસયાત્રા અંગે પ્રવચન કર્યું હતું.ઉપરાત,શાળાના બાળકોએ બેટી બચાવો,બેટી પઢાવો તેમજ વૃક્ષારોપણની ઉપયોગીતા અંગે પોતાના વિચારો રજૂ કર્યાં હતાં.કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ મંત્રીશ્રીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

આ તકે મામલતદાર શ્રી આર.જી.પ્રજાપતિ,જિલ્લાના આગેવાન શ્રી સુરેશભાઈ દવે,શ્રી વિક્રમસિંહ નકુમ,શ્રીમતી દિપાબેન બાંભણિયા,શ્રી કાળુભાઈ ચૌહાણ,શ્રી આણંદભાઈ ડાભી,શ્રી શંભુભાઈ ચૌહાણ,શ્રી ચીથરભાઇ પરમાર,શ્રી નારસંગભાઇ ભંડારી,શ્રી ગેમાભાઈ ડાંગર સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ,શાળાના આચાર્યશ્રીઓ તેમજ પ્રવેશ મેળવનાર ભૂલકાઓ,વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 397

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *