bhavnagarBreaking NewsCrimeGujaratIndia

શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના અને રૂ.૧૦,૦૦૦/-નું જાહેર થયેલ ઇનામવાળા છેલ્લાં ૨૨ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસોને બાતમી મળેલ કે,ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના નાસતાં-ફરતાં આરોપી અશોક મુન્શી પાંડે રહે.હાઉસે (દેવલી) પોસ્ટ-દવરી તા.જી.ગરીકોટ રાજય-ઝારખંડવાળો છેલ્લા બાવીસેક વર્ષથી ઉતરપ્રદેશ ખાતે તેના પરીવાર સાથે મેરઠ રાજય-ઉત્તર પ્રદેશ ખાતે રહે છે.જે બાતમી આધારે એલ.સી.બી.ની ટીમે મેરઠ ખાતે જઇ નાસતાં-ફરતાં આરોપી અંગે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી મેરઠના પરતાપુરમાં બહાદુરપુર રોડ ઉપર આવેલ ભારત કેમીકલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હોવાનું જણાય આવેલ.જેથી આ જગ્યાએથી નાસતાં-ફરતાં આરોપી મળી આવતાં તેને ઉત્તર પ્રદેશથી ભાવનગર ખાતે લાવી આગળની વધુ કાર્યવાહી માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં આરોપીઃ-અશોક મુન્શી પાંડે ઉ.વ.૬૨ રહે.હાલ-હાઉસ નંબર-૨૭૧, સેક્ટર નંબર-૪/ઇ,હવાઇપટ્ટી,શતાબ્દીનગર,પરતાપુર તા.મેરઠ થાણું-પરતાપુર,ઉતરપ્રદેશ મુળ વતન-દેવલી તા.જી.ગરીકોટ,ઝારખંડ

નાસતાં-ફરતાં આરોપીને પકડવાના બાકી ગુન્હોઃ-શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૬૨/૨૦૦૨ ઇ.પી.કો. કલમઃ-૩૦૨,૩૪૨,૩૪ તથા જી.પી.એક્ટ કલમઃ-૧૩૫ મુજબ
ઇનામ જાહેર થયેલ નાસતાં-ફરતાં આરોપીઃ-ગૃહ વિભાગ, ગુજરાત રાજયના આદેશાનુસાર સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા., ગાંધીનગરનાઓ તરફથી નાસતાં-ફરતાં આરોપી અંગે રૂ.૧૦,૦૦૦/-નું ઇનામ જાહેર થયેલ હતું.

આ સમગ્ર કામગીરી માં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી પી.ડી.ઝાલા તથા સ્ટાફનાં બીજલભાઇ કરમટીયા,જયદાનભાઇ લાંગાવદરા,ફાલ્ગુનસિંહ ગોહિલ,શૈલેષભાઇ ચાવડા,હરિચંદ્દસિંહ દિલુભા,હરિચંદ્દસિંહ ભીમભા,ડ્રાયવર યોગરાજસિંહ ગોહિલ વગેરે પોલીસ સ્ટાફ જોડાયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

પચ્છેગામ શ્રી મુરલીધર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો…

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

વીર દેવાયત બાપાના શૌર્યને સલામ માયધારમાં ઇતિહાસ જીવંત બન્યો માયધાર ગામે ગૌરવનો…

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

ભારતીય રેલવે બોર્ડના માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે અંતર્ગત મંડળ રેલવે હોસ્પિટલ,…

1 of 440

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *