Devotional

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પર ચલાવવા આપેલ સુલભ શૌચાલય ના સંચાલકો ની મનમાની…..

મંદિર દ્વારા નક્કી કરાયેલ ભાવ પત્રક વિરુદ્ધ યાત્રિકો પાસે થી લેવાઈ રહ્યા છે પૈસા…..

માં તારા સામાજિક સેવા સંસ્થાન ના સંચાલકો દ્વારા નક્કી કરેલ ભાવ કરતાં વધારે પૈસા લેવાતા હોવાની રાવ….

અગાઉ પણ વધુ ભાવ લેવા બાબતે નોટિસ મળેલ હોવા છતાં યાત્રિકો પાસે થી લૂંટ મચાવતા શૌચાલય સંચાલકો…..

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો ની સુવિધા માટે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.જેમાં આવનાર યાત્રિકો ને શૌચાલય જેવી કુદરતી ક્રિયા માટે મંદિર અને આસપાસ ના વિસ્તાર માં સુલભ – શૌચાલય ની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

ત્યારે દર્શનાથે આવતા યાત્રિકો ની સેવા અર્થે સ્થપાયેલ શૌચાલય ની  સફાઈ – મેંટેનેન્સ વગેરે વ્યવસ્થા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા શૌચાલય ની કામગીરી ટેન્ડર આધારિત કંપની ને સોંપાઈ છે જેમાં હાલ માં ” માં તારા સામાજિક સેવા સંસ્થાન “ નામની સંસ્થા ને આ શૌચાલય ની કામગીરી ટેન્ડર થી અપાઈ છે જેમાં મંદિર દ્વારા નક્કી કરાયેલ ભાવ મુજબ જ યાત્રિકો પાસે થી નિભાવ ખર્ચ લેવાનો હોય છે ત્યારે અહી વાસ્તવિકતા કંઇક જુદી જ જોવા મળી રહી છે .

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો ની સુવિધા અર્થે શૌચાલય જેવી સેવા ની વ્યવસ્થા અર્થે ટેન્ડર થી માં તારા સામાજિક સેવા સંસ્થાન ને આપ્યા બાદ યાત્રિકો જોડે થી  મંદિર દ્વારા નક્કી કરેલ ભાવ પત્રક કરતા વધુ ભાવ લેવા ના લીધે અવારનવાર બબાલ થવાનું સામે આવ્યું છે

અને મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ ને પણ ઘણા યાત્રિકોએ ફરિયાદ કરેલ છે તેમ છતાં પણ આ સંસ્થા ના સંચાલકો સુધરવાને બદલે પોતાની મરજી પ્રમાણે ભાવ લઈ રહ્યા છે ત્યારે શું મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ આ બાબત ને ધ્યાને લઇ સંસ્થા ના સંચાલકો પર કોઈ અંકુશ લાવશે કે પછી “જૈસે થે” ની સ્થિતિ જ યથાવત રહેશે

કે પછી સંચાલકો પર કડક કાર્યવાહી કરી યાત્રિકો જોડે થતી લૂંટ બંધ કરાવાશે?? તે પ્રશ્ન મહત્વ નો બની રહ્યો છે.કેમ કે અંબાજી ખાતે આવતા યાત્રિકો પ્રસાદી પુજાપા ને નકલી ચાંદી ની ખાખર બાબતે તો લૂંટાતા હોવાની ફરિયાદ ને લીધે યાત્રાધામ બદનામ થયું જ છે ત્યારે હવે કુદરતી હાજત , અને નહાવા માટે ની પ્રાથમિક સુવિધા ના નામે પણ થતી લૂંટ યાત્રાધામ ને લાંછન લગાડવા રૂપ છે.

મંદિર ટ્રસ્ટ માં નાયબ મામલતદાર સમીર પરીખ હસ્તક આવતા શૌચાલય વિભાગ માં થતી લૂંટ માટે જવાબદાર કોણ????

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના બાંધકામ શાખા માં બેસતા નાયબ મામલતદાર સમીર પરીખ ના હસ્તક આવતા શૌચાલય વિભાગ ના ટેન્ડર સંચાલકો દ્વારા યાત્રિકો સાથે ઉઘાડી લૂંટ કરવમાં આવી રહી છે

જે માટે અવાર નવાર ઘણા યાત્રિકો દ્વારા પણ મંદિર માં ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં પણ આ સંચાલકો ને જાણે કોઈ ભય નથી કે નથી કોઈ શરમ ત્યારે વિચારવાની બાબત એ છે કે જ્યારે નાયબ મામલતદાર સુધી ફરિયાદ પહોંચવા છતાં પણ આ સંચાલકો નિર્ભયી અને બેફામ બન્યા છે તેનું કારણ શું છે ?

મંદિર દ્વારા નક્કી કરેલ ભાવ પત્રક  શૌચાલય ની બહાર ચોટાડ્યા તો છે પણ તેમાં ભાવ ને ખોતરી ને મરજી પ્રમાણે ના ભાવ વસૂલવામાં આવી રહ્યા છે , અને અવારનવાર આવતી ફરિયાદ બાદ પણ નાયબ મામલતદાર ના હસ્તક ના આ વિભાગ ના સંચાલકો પર કોઈ કાર્યવાહી નહિ થતા શંકા ની સોઈ વિભાગ ના વડા પર અટકે છે ત્યારે શું વિભાગ ના વડા નાયબ મામલતદાર  સમીર પરીખ ની પણ આ ટેન્ડર ના સંચાલકો સાથે સંડોવણી છે કે પછી સેટિંગ .કોમ…..?????

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *