Devotional

શ્રાવણનો પહેલો સોમવાર – ભક્તિ અને આશીર્વાદનો આરંભ

રિપોર્ટ: અનુજ ઠાકર

શ્રાવણ માસનો આરંભ થતા જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. વરસાદની રીમઝીમ સાથે જ્યારે ભગવાન શંકરની આરાધનાનો અવાજ ગુંજવા લાગે છે ત્યારે માનવમાત્રના હ્રદયમાં ભક્તિની દીપજ્યોતિ જગે છે.

શ્રાવણનો પહેલો સોમવાર ખાસ કરીને ભગવાન ભોલેનાથના ભક્તો માટે અતિ પાવન ગણાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખે છે, મંદિરોમાં દૂધ અને જળ દ્વારા અભિષેક કરે છે, “ૐ નમઃ શિવાય”ના જાપ સાથે ભોલેનાથને રીઝવે છે.

આ પવિત્ર દિવસ પર આપણું એકમાત્ર લક્ષ્ય હોય છે – શિવજીનો આશીર્વાદ મેળવો અને જીવનમાં શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવી. ભોળા ભંડારી એવા શિવશંભુ સહજમાં પ્રસન્ન થનારા દેવતા છે. તેઓ ભક્તોના હ્રદયની ભાવનાને સમજતા પહેલા અવાજ સુધી પહોંચે.

આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે – ભક્તિ, શ્રદ્ધા અને ભોલેનાથના આશીર્વાદથી ભરેલો દિવસ.
આ દિવ્ય અવસરે એ જ પ્રાર્થના કરીએ કે દરેકનું જીવન શુભ, મંગળમય અને ભોળેનાથના આશીર્વાદથી પરિપૂર્ણ બને.

હર હર મહાદેવ!

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી…

આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *