Devotional

મુક્તિ માટે ભૂમિ નહીં ભૂમિકા જોઈએ: મોરારિબાપુ

949 ની કથા “માનસ કબીરવડ” ભરૂચ ખાતે પ્રારંભ થઈ
ભાવનગર (તખુભાઈ સાંડસુર દ્વારા)

પૂ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઇ રહેલી કથા શૃંખલાની હવે 949 મી કથા ભરૂચ જિલ્લાના કબીરવડ પાસેના મંગલેશ્વર ગામમાં શનિવાર તા.4-1- 25 ના રોજ પ્રારંભ થઈ.આ કથાનું નામાભિધાન “માનસ કબીરવડ” આપવામાં આવ્યું છે. બાપુએ કબીરના ચિંતનના આધાર લઈને બે કથાઓ ગાઈ સંભળાવી છે.હવે કબીર જીવનનો હાર્દ જે રીતે કહી ગયા તેને કેન્દ્રિત કરીને નવો સંવાદ ભરૂચમાં થશે.સનાતન ધર્મમાં કબીરનું તત્વજ્ઞાન માનવ,સમાનતા અને એકાત્મવાદ ઉપર ખૂબ મોટો સંદેશો આપી રહ્યું છે. તે દિશામાં બાપુની વાણીને શ્રવણ કરવા જગત લાલાયિત હોય છે.

કથાના પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે અંધશ્રદ્ધા,પાંડિત્ય માત્ર બૌદ્ધિકતા સામે વિદ્રોહ કરે છે.સાધુ ક્યારેય દ્રોહ કરતા નથી.પરંતુ જરૂર પડે તે વિદ્રોહ કરે છે.મુક્તિ મેળવવા કોઈ ભૂમિ ની જરૂર નથી પરંતુ ભૂમિકાની જરૂર પડે છે. તેથી કબીર કાશી છોડીને મગહર ચાલ્યાં ગયા હતાં.કબીર ક્રાંતિકારી, ભ્રાંતિહારી અને શાંતિકારી મહાપુરુષ હતાં.ભોજન એ વટ વૃક્ષ છે અને તેથી વડલાઓ શાંતિ નિકેતન, કબીરવડ, દુધરેજ અને તલગાજરડા જગ્યાઓ પર પણ સ્થિત છે.

આજની કથામાં કબીર સંપ્રદાયના પરંપરાના શ્રી હજુર સાહેબ -વારાણસી,શ્રી શિવરામ સાહેબ મોરબી, શ્રી નરસંગદાસજી રાજકોટ,શ્રી પ્રિતમદાસજી વડોદરા વગેરે તથા દુધરેજના શ્રી કણીરામ બાપુ સુશ્રી મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળા બા, હાથીજણના શ્રી મહંત મહાદેવદાસજી બાપુ,શ્રી રાજેન્દ્રદાસજી બાપુ તોરણીયા ,સંત શ્રી રામેશ્વરદાસજી મહારાજ તથા પુર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા વગેરે સ ઉપસ્થિત હતાં.‌

આ કથાનું યજમાનપદ નિમિત માત્ર શ્રી નરેશભાઈ પટેલ કરી રહ્યાં છે. જે ભરૂચ ના વતની છે અને અમેરિકા ખાતે નિવાસ કરે છે. કથા દરમિયાન આસપાસના 40 ગામોને ધુમાડા બંધ ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે નિમંત્રણ મોકલાયું છે.મંગલેશ્ર્વર ગામ સહિતનો સ્વંય સેવક આયોજનની સફળતામાં જોડાયેલો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

શક્તિપીઠ અંબાજી, શાકંભરી નવરાત્રી પર્વ, વિશ્વ કલ્યાણ માટે 1008 ઔષધીઓનો યજ્ઞ, ગણેશ યાગ સાથેનો મહાયજ્ઞ યોજાયો

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને…

1 of 16

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *