Devotional

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ સુદ પુનમ એટલે આદ્યશક્તિ માં જગદંબાનો પ્રાગટ્ય દિન નિમિત્તે બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતની વિશેષ ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પુનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપુતએ જણાવ્યું હતું કે, આસ્થાના પ્રતીક એવા માં અંબાના ચરણોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લહાવો લે છે ત્યારે આજે પોષી પૂનમનું વિશેષ મહત્વ હોય છે.

દુષ્કાળના સમયમાં માં અંબા શાકંભરીના સ્વરૂપે પ્રગટ થયા હતા એ દિવસથી આજનો દિવસ પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. આજે સૌ સાથે મળીને લોકભાગીદારી થકી હવનનું પણ આયોજન કરાયું છે. વિશ્વ કલ્યાણ માટે માં અંબા તમામ લોકોની શુભકામનાઓ પૂર્ણ કરે તેમ પ્રાર્થના થકી મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી અને ૧૦૦ જેટલા યજમાનો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના શક્તિદ્વારે આરતી કરાઇ હતી. આ સાથે માતાજીની જ્યોતને અંબાજી ગામમાં જ્યોત યાત્રા કરવામાં આવી હતી.

ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. અંબાજી શક્તિદ્વારથી હાથી પર માં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરાયું હતું. જેમાં ૩૫ થી વધારે વિવિધ ઝાંખીઓ રજૂ કરાઈ હતી. શોભા યાત્રામાં કુલ ૨૧૦૦ કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું હતું. ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે અંબિકા અન્નક્ષેત્રમાં નિ:શુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

મા અંબાના પ્રાગટય દિવસનો ઉત્સવ માઇ ભક્તો ઘરે બેઠા પણ નિહાળી શકે એ માટે તમામ ધાર્મિક કાર્યક્રમોનું LED અને YouTube ચેનલ મારફતે તેમજ ટ્રસ્ટનાં વિવિધ સોશ્યલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *