Devotional

અંબાજી – શરદ પૂનમ નિમિત્તે અંબાજી મંદિર માં કપૂર આરતી અને દૂધ – પૌંઆ નું આયોજન કરાયું

દર વર્ષે શારદીય નવરાત્રિ બાદ પૂનમ ની રાત્રે મંદિર ખાતે દૂધ – પૌંઆ અને રાસ ગરબા નું થાય છે આયોજન …..

મધ્ય રાત્રિ ની આરતી માં મોટા પ્રમાણ માં માઈ ભકતો જોડાયા……

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ શરદ પૂનમ ની રાત્રિએ અંબાજી મંદિર માં કપૂર આરતી અને દૂધ પૌઆ નું આયોજન કરાયું હતું.જેમાં મોટા પ્રમાણ માં માઈ ભક્તોએ ભાગ લીધો હતો.

અંબાજી મંદિર ની પ્રથા મુજબ દર વર્ષે શારદીય નવરાત્રી બાદ પૂનમ ની રાત્રે મંદિર ના ચાચર ચોક માં રાસ ગરબા અને દૂધ પૌઆ ની પ્રસાદી વિતરણ નો કાર્યક્રમ યોજાય છે.પરંતુ આ વખતે તિથિ માં વધ – ઘટ હોવા ના લીધે પૂનમ તિથિ આજ રોજ બપોર ના સુમારે શરૂ થતી હોવા થી મુખ્યત્વે પૂનમ ની રાત ના ચંદ્ર પ્રકાશ નું અનેરું મહત્વ હોઈ કપૂર આરતી અને દૂધ પૌઆ ના પ્રસાદી વિતરણ કાર્યક્રમ આજે તા.૧૬ ની રાત્રિ એ રખાયો હતો .જ્યારે દર વર્ષ ની જેમ આયોજિત થતા રાસ ગરબા આવતી કાલ તા.૧૭ ઓકટોબર ની રાત્રી એ યોજાશે.

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

અંબાજી દર્શન હવે વધુ સુલભ: પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ…

અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી…

આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *