Devotional

શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર “તા.૩૦/૦૪/૨૦૨૫ વૈશાખ સુદ-૩ (ત્રીજ) થી તા.૨૬/૦૬/૨૦૨૫ ને અષાઢ સુદ-૧ (એકમ)” સુધી માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

જેમાં આરતી સવારે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સવારે ૦૭:૩૦ થી ૧૦:૪૫, રાજભોગ આરતી ૧૨:૩૦ થી ૧:૦૦, દર્શન બપોર ૦૧:૦૦ થી ૦૪:૩૦, આરતી સાંજે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સાંજે ૦૭:૩૦ થી ૦૯:૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે. તા.૩૦/૦૪/૨૦૨૫ થી તા.૨૬/૦૬/૨૦૨૫ સુધી માતાજીનો અન્નકુટ થઈ શકશે નહિ. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં શ્રી વિશ્વાનંદ માતાજી

તીર્થ દર્શન સાથે કથા લાભ લેતાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં ભાવિક શ્રોતાઓ રામેશ્વર…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *