Devotional

અંબાજી એસટી ડેપો મા 300 લીટર છાસનું વિતરણ કરવામાં આવ્યું, ભારે ગરમી વચ્ચે સુંદર કામગીરી

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આવેલો એસટી ડેપો આખા ગુજરાતનો બોર્ડર વાળો ડેપો છે.હાલમાં ભારે ગરમી પડી રહી છે.આજરોજ અંબાજી ડેપો ખાતે હાલ માં પડી રહેલ કાળઝાળ ગરમીના પ્રકોપ થી મુક્તિ મળે તે ઉદ્દેશ્યથી કર્મચારીઓ માટે 2 દિવસ અગાઉ ORS પેકેટ વિતરણ કરવામાં આવેલ, પરંતુ ગરમીના પ્રમાણ ને જોતા માત્ર કર્મચારીઓ જ નહિ,

પરંતુ જાહેર જનતા જે નિગમ નું હૃદય છે એ પણ આવી કાળઝાળ ગરમીમાં રાહત મેળવી શકે એવા ઉમદા વિચારને અમલ માં મૂકતા આજરોજ અંબાજી એસ.ટી ડેપોના ત્રણે માન્ય યુનિયન ના પ્રતિનિધિઓ શ્રી અનેશસિંહ ચાવડા (પ્રમુખ શ્રી પાલનપુર વિભાગ), રાજેન્દ્રસિંહ દિયોલ યુનિટ મંત્રી મજૂર મહાજન યુનિયન, અરવિંદસિંહ ચાવડા, યુનિટ મંત્રી BMS, તેજસિંહ સોલંકી, યુનિટમંત્રી, કર્મચારી મંડળ અને લાયન્સ ક્લબ અંબાજી ના સાથ સહકાર થકી અંબાજી એસ.ટી ડેપો માં આવનાર તમામ મુસાફર જનતા માટે તેમજ આસપાસ ના વ્યાપારી મિત્રો માટે આશરે 300 લીટર જેવી ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું જેથી કરી હાલ માં પડી રહેલ ગરમીના પ્રકોપ માંથી મુસાફર જનતા, કર્મચારીઓ અને આસપાસ ના વ્યાપારી મિત્રો ને રાહત મળી શકે આ સફળ કાર્યક્રમ માટે અંબાજી એસ.ટી ડેપોમેનેજર રઘુવીરસિંહ દ્વારા તમામ નો આભાર વ્યકત કરી આ કાર્યક્રમ માં સક્રિય રહી આ વિતરણ કાર્યક્રમ ને સફળ બનાવેલ.

અંબાજી પ્રહલાદ પૂજારી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *