Devotional

અંબાજી એસ.ટી ડેપો દ્વારા સતત સફાઈ ઝુંબેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો

અંબાજી એસટી ડેપો ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું ગુજરાતનું સૌથી છેલ્લું બસ ડેપો છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં સફાઈ અભિયાન ચાલી રહ્યા છે ત્યારે અંબાજી એસટી ડેપો ખાતે પણ અવારનવાર સ્વછતા અભિયાન ઝુંબેશને પ્રાથમિકતા આપવા માટે પણ સફાઇ કાર્યક્રમ થતા હોય છે જે થકી કામગીરી કરી સફાઈને અગ્રીમતા આપવામાં આવી રહેલ છે, ત્યારે હાલ માં પાલનપુર વિભાગના વિભાગીય નિયામક શ્રી ના સતત માર્ગદર્શન અને દિશા નિર્દેશ અનુસાર હાલ માં તા – 22.6.24 અને 23.6.24 ના રોજ ફરી એકવાર સઘન સફાઈ ઝુંબેશ બાબત ની સૂચના અનુસાર અંબાજી ડેપો ખાતે પણ સતત બે દિવસ સુધી સઘન સફાઈ કાર્યક્રમ યોજાયો

જેમાં તમામ બસોની સફાઈ, બસોના કાચ અને મુસાફર કાચની સફાઈ, બસ સ્ટેશનની સફાઈ, ડેપો વર્કશોપ ની સફાઈને એક ઝુંબેશની જેમ ઉપાડી સફાઈ કર્મવીરો દ્વારા ડેપો મેનેજર અંબાજી રઘુવિરસિંહ અને સ્ટાફ દ્વારા સતત મોનીટરીંગ કરી અને આ સફાઈ કામગીરી કરી ડેપો અને બસ સ્ટેશનમાં ખૂબ સરસ અને ઊડીને આંખે વળગે તેવી સફાઈ કરવામાં આવેલ.વધુમાં સતત સફાઈ કાર્યક્રમ ચાલુ રાખી મુસાફર જનતાને વધુમાં વધુ સારી અને સ્વચ્છ બસોમાં મુસાફરીનો લાભ મળે અને મુસાફર જનતાની લાગણી પણ નિગમ સાથે જોડાય અને તેમની જાગૃતતા થકી ખરેખર સફાઈ અભિયાન સફળ બને તે દિશામાં સતત પ્રયત્ન કરી સફાઈ ની આ જૂંબેશ સતત ચાલે એવું આયોજન કરેલ છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *