Breaking NewsEntertainment

અંબાજી મંદિર ખાતે ગુજરાતી મૂવી નું પ્રમોશન

અમિત પટેલ.અંબાજી
અંબાજી મંદિર સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આજે સાંજે અંબાજી મંદિર ખાતે નાયિકા દેવી મૂવી ના કલાકારો માતાજીના દર્શન કરવા આવ્યા હતાં અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ધ્રુવી શાહ, મમતા સોની સહિતના કલાકારો અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને તેમને માતાજીના દર્શન કર્યા હતા ત્યારબાદ ચાચર ચોકમાં ભટ્ટજી મહારાજ ના હસ્તે સોંગ લોન્ચ કરાયું હતું. સોમનાથ બાદ કલાકારો અંબાજી આવ્યા ત્યારે ચાચર ચોકમાં ગરબા પણ રમ્યા હતા ત્યારબાદ તેમને મીડિયા સાથે વાત કરી હતી અને મૂવી 6 મે ના દિવસે લોન્ચ કરવામાં આવશે. અંબાજી મંદિર ખાતે પ્રથમ વખત મૂવી પ્રમોશન કરવામાં આવ્યું હતું. કૈલાશ ખેર સહિતના સિંગરો નો મજબૂત અવાજ લોકોને સિનેમા સૂધી ખેંચી લઇ જશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

કુલ રૂ.૫૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *