Entertainment

ગુજરાતી સિનેમાની નવી લહેરઃ નવી વિચારસરણી અને અદભુત લોકચાહના

રિપોર્ટ અનુજ ઠાકર

ગુજરાતી સિનેમા છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો માત્ર ગ્રામ્ય જીવન, સંસ્કાર અને કોમેડી સુધી સીમિત રહી હતી. પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. નવા યુગના ફિલ્મમેકર્સ હવે નવા નવા વિષયો પર પ્રયોગ કરી રહ્યા છે — ભક્તિથી લઈને હોરર સુધી અને ફોકલોરથી લઈને સાયન્સ ફિક્શન સુધી!

તાજેતરમાં દર્શકોના દિલ જીતી લેનારી ફિલ્મ “શ્રી કૃષ્ણ સદા સહાયત” એ સાબિત કર્યું કે ભક્તિ અને આધુનિક ટેકનોલોજીનો સુમેળ પણ કેટલી સુંદર રીતે રજૂ થઈ શકે છે. ફિલ્મના દ્રશ્યો, સંગીત અને સંદેશ — ત્રણેયે ગુજરાતી સિનેમાને એક નવી ઓળખ આપી છે.

હવે આવી રહી છે વધુ એક અલગ અને ઉત્સાહજનક ફિલ્મ — “દશેરા”.
આ ફિલ્મ વાઘમાતા પર આધારિત છે અને તેમાં અદ્ભુત VFX, ભક્તિભાવ અને લોકવિશ્વાસનું સમન્વય જોવા મળે છે. ટ્રેલર જાહેર થયા પછીથી જ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ મળ્યો છે. લોકો કહે છે કે — “સાઉથ પાસે કાંતારા હતી, તો હવે ગુજરાત પાસે ‘દશેરા’ છે!”

ફિલ્મનું વિશેષત્વ એ છે કે તેમાં નવા કલાકારોને તક આપવામાં આવી છે. ફ્રેશ ચહેરાઓ અને તેમના નિષ્ઠાભર્યા અભિનયે દર્શકોના દિલ જીતવાની પૂરી સંભાવના છે.

ગુજરાતી સિનેમા હવે માત્ર મનોરંજન પૂરતો નથી રહ્યો — તે એક ભાવનાત્મક અને સાંસ્કૃતિક અનુભવ બની ગયો છે. “દશેરા” જેવી ફિલ્મો દર્શાવે છે કે હવે ગુજરાતી સિનેમા પણ વિશ્વસ્તર પર પોતાનો ધ્વજ ફરકાવવા તૈયાર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 65

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *