Gandhinagar

રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવડાવ્યા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: આતંકવાદ વિરોધી દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ અને હિંસાનો મક્કમતાપૂર્વક વિરોધ કરવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતવાસીઓ આપણા દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ નિષ્ઠાપૂર્વક શપથ પણ લઈએ છીએ કે, આપણે કોઈપણ પ્રકારના આતંકવાદનો અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું.

આજે આતંકવાદ વિરોધી દિવસે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણે સમાજના વિવિધ વર્ગો વચ્ચે હંમેશા શાંતિ, સામાજિક સદભાવ અને સમજણ જળવાઈ રહે તે માટેના શપથ લઈએ છીએ, અને માનવજીવનમૂલ્યો સામે મુશ્કેલી ઉભી કરનારી વિઘટનકારી શક્તિઓ સામે લડવાના પણ શપથ લઈએ છીએ.

રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ અશોક શર્મા, રાજ્યપાલના પરિસહાય લેફ્ટનન્ટ શુભમ કુમાર, સી.જી.એચ. અમિત જોશી સહિત રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગર ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત કરતા ભારતીય વાયુસેનાના નવનિયુક્ત એર ઑફિસર એર માર્શલ નગેશ કપૂર

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય વાયુ સેનાના સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડના નવા વરાયેલા…

ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશમાં સહકાર પ્રવૃત્તિને વેગ આપવા માટે વડાપ્રધાન…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ…

1 of 6

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *