Gandhinagar

રાજ્યપાલએ સ્મૃતિભેટ અર્પણ કરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાજભવનથી ભાવભીની વિદાય આપી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતની ચાર દિવસની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ગાંધીનગરથી વિદાય લીધી હતી. સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનથી રાષ્ટ્રપતિજીને ભાવભીની વિદાય આપી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સ્મૃતિભેટ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ મહોદયાએ પણ સામે સ્મૃતિભેટ અર્પણ કરી હતી.

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 27મી ફેબ્રુઆરીએ એન.આઇ.ડી.ના દીક્ષાંત સમારોહમાં અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા અમદાવાદ અને ગાંધીનગર પધાર્યા હતા. રાજભવનમાં રાત્રિ રોકાણ પછી આજે તેઓ રણોત્સવમાં ભાગ લેવા કચ્છ જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ મહોદયા આજે સાંજે કચ્છથી દિલ્હી જશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આગામી તહેવારોને અનુસંધાને તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સ યોજતા રાજ્ય પોલીસ વડા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં…

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે, વડોદરામાં ટૂંકુ રોકાણ. એરપોર્ટ પર કરાયું સ્વાગત

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ તેમના ચાર દિવસના…

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિજયોત્સવ ઉજવાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *