bhavnagarEducationGujarat

ભાવનગરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉજવણી અન્વયે તેજસ્વિની મહાનગરપાલિકા કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણીનાં ભાગરૂપે આજે મહિલા અને બાળવિકાસ વિભાગ,ભાવનગર મહાનગરપાલિકા,આઈ.સી.ડી.એસ.ભાવનગર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં સંયુકત ઉપક્રમે તેજસ્વિની મહાનગરપાલિકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કિશોરીઓ દ્વારા અનેક સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.જેમાં સામાજિક દુષણો,આરોગ્ય અને પોષણ,જાતિગત સમાનતા અને દીકરીઓનાં હક્ક અને અધિકાર.જન્મ અને શિક્ષણ,પૂર્ણા યોજના અને આઈ.સી.ડી.એસ.યોજનાથી મળતા લાભો અંગે બાલિકાઓ દ્વારા દીકરીઓના જન્મ અને શિક્ષણ,નારી શક્તિ અને મતદાન જાગૃતિ અભિયાન,૩૩% મહિલા અનામત,આરોગ્ય અને પોષણ,દીકરીઓના હક અને અધિકાર વિશે,સામાજિક દૂષણો જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલ હતી..

વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીઓને મંજુરી હુકમનું વિતરણ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાનાં મેયરશ્રી ભરતભાઈ બારડ,ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ,સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા,જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા,કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાય,ડેપ્યુટી મ્યુનિ કમિશનરશ્રી મનીષાબેન બ્રહ્મભટ્ટ તથા તમામ પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ કાર્યક્રમમાં ઊપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *