Other

પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નાહવા ગયેલા બે યુવાનો ડૂબ્યાના સમાચાર મળ્યા હતા

પાલીતાણાનાં શેત્રુંજી ડેમમાં ગઈ કાલે સંજના નાહવા ગયેલ બે યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા હતા પાલીતાણા ના અગ્રણીઓ અને સ્થાનીક તરવૈયા દ્વારા બન્ને યુવાન ની ડેમ માં શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં પાલીતાણા શેત્રુંજી ડેમ ઓફિસર આશિષ બાલધ્યા,પાલીતાણા મામલતદાર કમલેશ વાળંદ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્ચયો હતો અને બંને યુવાનોની શોધ તરવૈયાઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી

પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં દરબાર ચોક પાછળ જામવાળી દરવાજા પાસે રહેતા ત્રણ યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા માટે ગયા હતા અને રાત્રી દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં શેત્રુંજી ડેમ અધિકારીને જાણ થતા તેઓ દ્વારા તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેને લઇને પાલીતાણા ફાયર વિભાગ સહિત પાલીતાણા મામલતદાર સાહેબ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરી વાત શોધખોળ કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો

જેમાં અબડા સકલેન સદિકભાઈ ઊં,વર્ષ ૧૭ નો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે પાલીતાણા ની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને પીએમ બાદ તેમના પરિવારજનો દ્વારા મૃતદેહને અંતિમ વિધિ માટે પોતાના ઘરે રવાને કરવામાં આવ્યો છે

ત્યારે શેત્રુંજી ડેમ ખાતે હજી એક યુવાન ડૂબ્યાની આશંકામાં તંત્ર દ્વારા શોધખોળ શરૂ છે

રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *