જામનગર: જામનગર ખાતે મનપા ચૂંટણીમાં બીજેપી દ્વારા 64 સીટોમાંથી 50 પર કબજો મેળવી જીત મેળવી હતી ત્યારે જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે આજે બીજેપીના જિલ્લા પ્રભારી ધનસુખભાઈ ભંડેરી દ્વારા મનપા પદાધિકારીઓનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર ડેપ્યુટી મેયર સહિત પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જે પ્રસંગે શહેર પ્રમુખ ડૉ વિમલ ભાઈ, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિત બીજેપીના નેતાઓ દિગજજો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી દ્વારા મેયર સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેયર તરીકે બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં મનીષ કટારીયા, શાસક પક્ષ નેતા તરીકે કુસુમબહેન પંડ્યા અને દંડક તરીકે કેતન ગોસરાણીની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મેયર તરીકે બીનાબેન કોઠારીનું નામ બોલતા જયશ્રીરામ અને તાળીઓના ગડગડાટથી સર્વને વધાવી લેવામાં આવ્યા હતા તો બીજી તરફ સર્વે ઉપસ્થિત વિજયી કોર્પોરેટરો દ્વારા તમામ પદાધિકારીઓને વધાવી લેવામાં આવ્યા હતા. નામોની જાહેરાત થયા બાદ તમામ નવ નિયુક્ત પદાધિકારીઓ ટાઉન હૉલ ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગર મનપાની પ્રથમ સાધારણ સભા મળી હતી જ્યાં વિરોધ પક્ષના નેતાઓ સહિત ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સર્વે નવા પદાધિકારીઓને આવકારવામાં આવ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા પ્રથમ સાધારણ સભામાં જ પોતાના વોર્ડની પાણીની સમસ્યા સાથે ગંદા પાણીની બોટલ મેયર સમક્ષ ધરી વોર્ડમાં પાણીની સમસ્યાના ઉકેલ અંગે રજુઆત કરી હતી તો બીજી તરફ કોંગ્રેસના ના નેતા અલ્તાફ ખફી દ્વારા તમામ નવનિયુક્ત લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં પક્ષને ના જોતા સહકાર સાથે લોકોના કામ કરવા બાબતે સહકાર આપવા જણાવ્યું હતું. જામનગર શહેરના નવા મેયર અને ડેપ્યુટી મેયરના નામ આવતાંની સાથે જ ઘણા એવા પણ લોકો હશે જેમના અરમાનો પર પાણી ફરી વળ્યું હોય તેમ ચર્ચા જોવા મળી હતી. ખેર નવા ચૂંટાયેલા મેયર, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરો પ્રજા લક્ષી કામો તરફ ધ્યાન આપી જામનગર શહેરને વધુ વેગવંતુ બનાવે તેવી પ્રજાએ આશા રાખી છે અને બીજેપી દ્વારા પણ આ તટસ્થ અને કાર્યભાવી વ્યક્તિઓને પ્રજાના કામો પૂર્ણ કરવા નિયુક્ત કર્યા છે અને તેઓ પૂર્ણ કરશે તેવી આશા સેવી છે. ઉપસ્થિત તમામ લોકોએ સર્વે નવનિયુક્ત પદાધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા.. તમામ નવા નિમાયેલ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન..
જામનગર શહેરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર… બીજેપી કાર્યાલય થી ટાઉન હૉલ સુધીની સફર..વાંચો..
Related Posts
રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો: પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ
જનહિતકારી સુશાસનની જે ગાથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે તેને જન જન…
વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહુર્ત કરાયા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી…
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત
પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન નું ઉદ્દઘાટન.
સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ભાષણ ની સ્મૃતિમાં પેટ્રિયટ…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના…
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય…
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
















