Breaking NewsPolitics

વિધવા બહેનોના બાળકોને સારા શિક્ષણ હેતુ ચોપડા વિતરણનું ઉમદા કાર્ય કરતું અમદાવાદ NSUI ના યુવાઓ

અમદાવાદ: હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે વૈશ્વિક મંદી સાથે શિક્ષણનો સ્ત્રોત અટકી પડ્યો છે આવા કપરા સમયમાં અમદાવાદ ખોખરા વોર્ડ વિસ્તારમાં NSUI દ્વારા વિધવા મહિલાઓના બાળકોને શિક્ષણ મળી રહે તેવા ઉમદા કાર્ય હેતુ વિના મૂલ્યે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે 68 જેટલા વાલીઓ પોતાના બાળકો માટે ચોપડાઓ લેવા ઉપસ્થિત રહ્યા હતા અને દરેક બાળકને એક ડઝન ચોપડાઓનું વિતરણ કરાયું હતું. હાલ કોરોનાના કપરા સમયને જોતા કાર્યક્રમમાં બાળકોને ઉપસ્થિત રખાયા નહોતા. આ કાર્યક્રમને NSUI ના મહામંત્રી ગૌરાંગ મકવાણા, અભિષેક ઠાકર, ભાવિક રોહિત જેવા નવ યુવાઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

1 of 361

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *