Politics

જુનાગઢ સિવિલ માં દર્દીઓ ને પડતી મૂશ્કેલી મા સુધારો કરી વ્યવસ્થા સુધારવા ની માંગ કરતા આમ આદમી પાર્ટી ના મહિલા નેતા રેશ્મા પટેલ

જુનાગઢ સિવિલ હોસ્પિટલ માં ઘણા દર્દીઓ રોજેરોજ સારવાર માટે આવે છે, જીવ બચાવા માટે આવે છે અને અવ્યવસ્થા ના કારણે અનેક મુશ્કેલીઓ નો સામનો કરે છે. વધારામાં કેશ નોંધવા દર્દી ને ટોકન સિસ્ટમ ની આંટીઘૂંટી માં નાખી

`દાઝ્યા ઉપર ડામ ’ દેવા જેવી પરિસ્થિતિ નું નિર્માણ તમે કર્યું છે. જીવ બચાવા આવતા દર્દી શારીરિક રિતે પીડાતા હોય છે અને આવી અનેક અવ્યવસ્થા થી માનસિક પીડાઈ ને હિંમત હારે છે,

ગરીબ મધ્યમ વર્ગ આર્થિક રીતે નબળો વર્ગ જ સિવિલ હૉસ્પિટલ માં આવતો હોઈ છે ત્યારે આવા આર્થિક- માનસિક- શારીરિક હેરાન પરેશાન દર્દી સાથે ના આ વ્યવહાર માનવતા ને શરમાવે એવા છે, અમે આમ આદમી પાર્ટી નીચેની માંગણીઓ કરી તાત્કાલિક વ્યવસ્થા સુધારવા વિનંતી સાથે માંગણી કરીએ છીએ,

1)દર્દી ને કેશ કઢાવા ટોકન સિસ્ટમ બંધ કરો અને કેશ કાઢવાની વ્યવસ્થા સરળ બનાવો,

૨)દર્દી ને સારવાર માટે અહી- તહીં દોડાવા માં આવે છે તો તેના નિવારણ માટે દર્દી ને સચોટ અને પૂરી માહિતી મળે તે માટે ‘ માહિતી કેન્દ્ર ‘ માં જાણકાર સ્ટાફ ને બેસાડો,

૩)ખૂટતા સર્જન, ડોક્ટર ની તાત્કાલિક ભરતી કરો.

૪)હોસ્પિટલ ના તમામ શૌચાલયો ખુલ્લા કરો અને સફાઈ માં વિશેષ ધ્યાન આપો , સિવિલ માં આવેલી લિફ્ટો બંધ રાખવામાં આવે છે તેને ચાલુ કરો,

૫)જનતા ના ટેક્સ ના પૈસે દર્દી માટે કરોડો રૂપિયા ખર્ચ કરેલી સિવિલ હોસ્પિટલ માં સાધનો, જરૂરિયાતો વધારો કરી ઇન્ફ્રાસ્ક્ચર નો સદઉપયોગ કરી, વ્યવસ્થા સુધારી દર્દી ને રાહત આપવા અમારી માંગ છે

આ દરેક માંગણી તાત્કાલિક પૂર્ણ કરવા અમારી આ ઊગ્ર રજૂઆત છે, આગામી દિવસો માં ‘ જનતા રેડ ‘ કરી આવીજ રીતે અમે આમ આદમી પાર્ટી સિવિલ ની મુલાકાત લેતા રહીશું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

1 of 24

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *