Breaking NewsLatest

તલાટી કમ મંત્રીઓ માટે ગૌરવ સમાન કિસ્સો દોઢ વર્ષ પહેલાં જે તલાટી કમ મંત્રી તરીકે હતા તે આજે તાલુકા વિકાસ અધિકારીની કામગીરી બજાવે છે

ઉમરાળા તાલુકાના ટીંબી ગામના દિપકભાઈ વી.વ્યાસ ડિસેમ્બર ૨૦૧૯ સુધી તલાટી કમ મંત્રી તરીકે ઉમરાળા તાલુકાના અલગ અલગ ગામોમાં ફરજ બજાવતા હતા તેમને ડિસેમ્બર ૨૦૧૯માં પ્રમોશન આપીને વિસ્તરણ અધિકારી પંચાયત તરીકે વલ્લભીપુર તાલુકા પંચાયતમાં નિમણુંક આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ઉમરાળા અને ત્યાંથી ગારિયાધાર તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે એક વર્ષના ગાળામાં તેમણે તાલુકા વિકાસ અધિકારીની ખાતાકીય પરીક્ષા પાસ કરી હાલમાં ગારિયાધાર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી પડતા આ ચાર્જ માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરીને દિપકભાઈ વી.વ્યાસની નિમણુંક કરવામાં આવેલ આમ દોઢ વર્ષ પહેલાં જે તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા હતા તે આજે ટુ સ્ટેપ આગળ જઈને તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે જે તલાટી કમ મંત્રીની કેડર માટે ગૌરવ લેવા જેવી બાબત છે

૨૦૧૬ પહેલા તલાટી કમ મંત્રીની ખાતાકીય પરીક્ષા લેવાતી ન હતી અને તલાટી કમ મંત્રી નિવૃત્ત થાય ત્યાં સુધી તલાટી કમ મંત્રી જ રહેતા અથવા છેલ્લા ૬ મહિના કે એક વર્ષ બાકી હોય ત્યારે અમુક તલાટી કમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટર બનતા સરકાર દ્વારા ૨૦૧૬ પહેલાં સર્કલ ઇન્સ્પેક્ટરની જગ્યા વિસ્તરણ અધિકારી પંચાયતમાં અપગ્રેડ કરવામાં આવી ત્યારબાદ તલાટી કમ મંત્રીઓની ખાતાકીય પરીક્ષા લેવાનું શરૂ થયું અને તેમને વિસ્તરણ અધિકારી પંચાયતમાં પ્રમોશન આપવાનું શરૂ થયુ હાલમાં ઘણા બધા તલાટી કમ મંત્રીઓએ વિસ્તરણ અધિકારી પંચાયતમાં પ્રમોશન પામીને ક્લાસ ટુ કેડર તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી લીધેલ છે અને ઘણી બધી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જમાં ફરજ બજાવે છે જે તલાટી કમ મંત્રીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *