Latest

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો…

રાધનપુર, અનિલ રામાનુજ એબીએનએસ: રાધનપુર શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોન દ્વારા ગેસ બુકિંગ ન થવાના કારણે ગ્રાહકોને સીધા ગેસ એજન્સી પર જવું પડી રહ્યું છે, જેના કારણે નૈમિષ ગેસ એજન્સી ખાતે દિવસભર ભીડ અને ગેરવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, છેલ્લા 2 દિવસથી ફોન દ્વારા ગેસ બુકિંગ કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરતી નથી. ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે અનેક ગ્રાહકો સિલિન્ડર મેળવવા માટે સીધા એજન્સી પર પહોંચતા લાંબી લાઈનો લાગી ગઈ હતી.

સવારથી જ મોટી સંખ્યામાં લોકો નૈમિષ ગેસ એજન્સી ખાતે ઉમટી પડતા ત્યાં અવ્યવસ્થા સર્જાઈ હતી. વૃદ્ધો, મહિલાઓ અને રોજગારી ધરાવતા લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. ઘણા ગ્રાહકોના જણાવ્યા મુજબ, માત્ર એક સિલિન્ડર મેળવવા માટે પણ તેમને લાંબો સમય રાહ જોવી પડી રહી છે.

ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી તરફથી વારંવાર “સર્વર ડાઉન છે” એવી વાત કહીને જવાબ આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે સામાન્ય જનતાને અનાવશ્યક હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓમાં આવી ગેરવ્યવસ્થા સ્વીકાર્ય નથી. લોકોની સુવિધા માટે ફોન અને ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા સરળ અને સુલભ હોવી જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં ગ્રાહકોને વારંવાર એજન્સીના ચક્કર લગાવવા પડે છે.

શહેરના નાગરિકોએ જવાબદાર તંત્રને અપીલ કરી છે કે ગેસ બુકિંગની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને ગ્રાહકોને ગેસ સિલિન્ડર મેળવવામાં સરળતા થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સાથે જ એજન્સી ખાતે યોગ્ય વ્યવસ્થા અને પારદર્શિતા રાખવા માટે પણ માંગ ઉઠી રહી છે.

તો બીજી તરફ નૈમિષ ગેસ એજન્સી દ્વારા અગત્યની સૂચના તરીકે જણાવવામાં આવ્યું છે કે – કંપનીના નિયમ અનુસાર છેલ્લી રીફીલ ડિલિવરી લીધાના 25 પચીશ દિવસ પછીજ નવું બિલ બનશે. તેમજ વહેલું બુકીંગ થયેલ હોવા છતાં બિલ બનશે નહીં તો કંપનીના નવા નિયમ અનુસાર રીફીલ મળશે.આ બાબતે સ્ટાફ સાથે બિનજરૂરી તકરાર કરવી નહીં તેવું એજન્સીમાં બોર્ડમાં એજન્સી દ્વારા સૂચના પણ આપવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *