Breaking NewsLatest

અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત અન્ય તાલુકા તેમજ ગામડાઓમાં “દિવ્ય કાશી ભવ્ય કાશી” ના લોકાપર્ણ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય ઉજવણી કરાઈ

હિન્દુ સમાજના આસ્થા કેન્દ્ર સમાન કાશીમાં આવેલ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના કોરિડોર નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતુ.જે અંતર્ગત અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના 800 ગામોમાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મોડાસામાં 13 ડિસેમ્બરે મહિલા મોરચા દ્વારા શહેરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી.અરવલ્લી જિલ્લાના તાલુકા તેમજ ગામડાઓના શિવાલયોમાં ભાજપ કાર્યકરો તેમજ ગામના ગ્રામજનો દ્વારા શિવાલયોમાં જળાભિષેક,પૂજા અને આરતી કરી દિવ્ય કાશી ભવ્ય કાશીના લોકાપર્ણની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ મોડાસાના સોસાયટી વિસ્તારના શિવાલયોમાં તેમજ જાહેર સ્થળો પર સ્ક્રીન લગાડીને લોકોને કાશીના લોકાપર્ણ નું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સાધુ સંતોને આમંત્રિત કરી કાર્યકરો દ્વારા ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.અને કાશીના લોકાર્પણ નું જીવંત પ્રસારણ નિહાળીને અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દિવ્ય કાશી ભવ્ય કાશી ના કાર્યક્રમની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.


આજથી ૨૪૧ વર્ષ પહેલાં ઇ.સ. ૧૭૮૦ માં રાણી અહલ્યાબાઈએ જેનો જીર્ણોદ્ધાર કરાવેલ તેવા હિન્દુ સમાજના આસ્થા કેન્દ્ર સમાન “કાશી વિશ્વનાથ મંદિર” જ્યારે વિશ્વપ્રસિદ્ધ ધામ બનવા જઈ રહ્યું છે ત્યારે “દિવ્ય કાશી ભવ્ય કાશી” અંતર્ગત ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી “કાશીના કોટવાલ એવા કાલભૈરવ” ભગવાનની પૂજા કરીને “કાશી વિશ્વનાથ કોરિડોર” લોકાર્પણ સમારોહની શરૂઆત કરી હતી. તારીખ ૧૩ અને ૧૪ ડિસેમ્બર સુધી ચાલનાર આ સમારોહમાં દેશના શક્તિ કેન્દ્રોમાં આવેલ શિવાલયો સહિત દેશના પ્રસિદ્ધ શિવાલયો, મઠો, મંદિરોમાં એક જ સમયે પુજા, આરતી, અભિષેક કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *