Latest

દ્વારકા સોમનાથ હાઇવે પર રહીજ ગામે કૃષ્ણધામ રજ “આહીર સમાજ નુ સમસ્ત આહીર સમાજ દ્વારા ખાતમુર્હત કરાયુ

આહીર સમાજનુ ખાતમુર્હત, આહીર જવાનો દ્વારા તિરંગા યાત્રા અને ભવ્ય લોકડાયરો યોજાય

ભાવેશ આહીર,અર્જુન આહીર અને મીરા આહીર ના ગીતો પર લોકો એ કર્યો રૂપિયા નો વરસાદ

સમસ્ત આહીર સમાજ દ્વારા સોમનાથ – દ્વારકા હાઇવે પર માંગરોળ ના રહીજ ગામે “કૃષ્ણધામ રજ “ના નામથી ભવ્ય આહીર સમાજ વાડી ના નિર્માણ માટે સ્થાનિક આગેવાનો ની જહેમત જગ્યા ની ખરીદી કરાયા બાદ તે જગ્યા પર આવનારા સમય માં નિર્માણ પામનાર ભવ્ય આહીર સમાજ ના ખાતમુર્હત પ્રસંગે તિરંગા યાત્રા અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમની શરૂવાત માંગરોળ વિસ્તાર ના આહીર સમાજના યુવાનો નુ દેશની આર્મી માં ખુબ મોટુ સંખ્યા બળ ધરાવે છે ત્યારે માંગરોળના ટાવર ગ્રાઉન્ડ થી રહીજ સુધી આર્મીના જવાનો દ્વારા તિરંગા યાત્રા દેશભક્તિ ગીત સાથે ડીજે ના તાલ સાથે ડીવાયએસપી ગઢવી,મેરામણ ભાટુ,મારખી વછરા,રાજુ ચાવડા અને ગોવિંદ ચોચા ના દ્વારા તેનું પ્રસ્થાન કરવાયું હતુ અને ભવ્ય યાત્રા નીકળી હતી સાંજ ના સમયે આહીર સમાજ ના નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓ અને આહીર સમાજ ના નવ નિયુક્ત વર્ગ 1-2 ના અધિકારીઓ નુ સન્માન સાથે સમૂહ ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ તકે ભવ્ય લોકડાયરા અને પરંપરગત પહેરવેશ માં દાંડિયારાસ નુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા આહીર સમાજ ના યુવા કલાકારો ભાવેશ આહીર,અર્જુન આહીર,મીરા આહીર,હરદેવ આહીર ના તાલે ભવ્ય દાંડિયા રાસ માં આહીરો પરંપરગત પહેરવેશ માં ગરબે ઘૂમ્યા હતા તો રાત્રીના સમયે આજે કલાકારો ના તાલે લોકડાયરામાં પણ દાતાઓ નોટો નો વરસાદ વરસાવ્યો હતો આ આહીર સમાજ ના નિર્માણ કાર્યમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ના પુત્ર રાજુ ચાવડા દ્વારા એકવીસ(21)લાખનુ દાન સમાજવાડી માં જાહેર કરાયુ હતુ તો ભાજપ ના પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ,અશોકભાઈ પીઠીયા, જગમાલભાઇ વાળા,ખોડુભાઇ સેંગળીયા,મેરામણભાઈ ગોરીયા દ્વારા એક રૂમના સહયોગ જાહેર કરવામાં આવ્યો હતો આ સમાજના ભૂમિદાન ના મુખ્ય દાતા હીરાભાઈ જોટવા અને રાજુ ચાવડા ના હસ્તે સમાજના નિર્માણ નુ ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ આ સમગ્ર કાર્યક્રમમાં આહીર સમાજ ના અગ્રણીઓ હીરાભાઈ જોટવા,રાજુ ચાવડા, રઘુભાઇ હુંબલ,મેરામણ ગોરીયા, પ્રવીણ રામ,અશોક પીઠીયા, પ્રગતિ આહીર,મથુર બલદાણીયા, ખોડુભાઇ સેંગલીયા, હેમંત લોખીલ, જગમાલ વાળા,જીવાભાઈ મારડિયા,દિનેશભાઇ મૈતર,રાહુલ ચોચા સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમ નુ આયોજન ગોવિંદભાઇ ચોચા,ભરત રામ અને વેજાભાઇ ચાંડેરા ના નેતૃત્વ માં સમગ્ર માંગરોળ વિસ્તાર ના યુવાનો અને વડીલો દ્વારા કરાયું હતુ આ તકે ગોવિંદભાઇ ચોચના જણાવ્યા અનુસાર આવનાર સમય માં આહીર સમાજ ના ભવ્ય ભવન નુ નિર્માણ થવા જઈ રહ્યું છે જેનો લાભ આહીર સમાજ ના પદયાત્રીઓ,વિવિધ વિસ્તાર માંથી આવતા પ્રવાસીઓ, અને સ્થાનિક લોકોના નાનમોટા કાર્યક્રમો,નવરાત્રી મહોત્સવ માં ઉપયોગી નિવાડશે દ્વારકાધીશ ની કૃપાથી આ ભવ્ય ભવનના નિર્માણ નો પાયો નાખાઈ ચુક્યો છે અને ખુબ ટૂંકા સમયમાં પૂર્ણ થશે ત્યારે આહીર સમાજના લોકોને દાનની સરવાણી વહાવવા અપીલ પણ કરાઈ હતી

રીપોર્ટ નિલેષ ઢીલા

.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *