Breaking NewsLatest

બ્રેવો કેડેટ્સ: માધવપુર સ્થાનિક મેળાના સમાપન બાદ પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઈની કમાન સંભાળતા NCC કેડેટ્સ..

ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદ દ્વારા 10 એપ્રિલ 2022ના રોજ માધવપુર સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળાના સમાપન પછી ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલય દ્વારા 16 એપ્રિલ 2022ના રોજ “પુનિત સાગર અભિયાન”ના ભાગરૂપે માધવપુર બીચની વ્યાપક સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આપણા સમુદ્ર કિનારાઓ અને બીચ પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાની સામગ્રીઓથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટે તેમજ આ બીચોના નૈસર્ગિક સ્થળોની જાળવણી કરવા અંગે અને ત્યાં સ્વચ્છતા રાખવા માટે મોટી સંખ્યામાં લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના ઉદ્દેશથી NCC દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રવ્યાપી કવાયતના ભાગરૂપે આ સફાઇ કામગીરી કરવામાં આવી હતી. બીચની સફાઇ કામગીરી ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂર, કે જેમણે આ મુખ્ય કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો, તેમના નેતૃત્વમાં જામનગર NCC ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા આ વિસ્તારના અગ્રણી મહાનુભાવોમાં જામનગર NCC ગ્રૂપના ગ્રૂપ કમાન્ડર કોલોનલ એચ.કે. સિંહ, પોરબંદરના SDM, પોરબંદરના SP, અન્ય નાગરિક પ્રશાસન વિભાગના પ્રતિનિધિઓ સામેલ હતા. શાળાઓના આચાર્યો, દત્તક લેવામાં આવેલા ગામ ધરમપુરના સરપંચે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને કાર્યક્રમ શોભાવ્યો હતો.

22 એસોસિએટ NCC અધિકારીઓ, 19 કાયમી ઇન્સ્ટ્રક્ટર સ્ટાફ, 52 ભૂતપૂર્વ NCC કેડેટ્સ અને 4 ગુજરાત નેવલ યુનિટના 300 ઉત્સાહી કેડેટ્સે આ વ્યાપક બીચ સફાઇ કવાયતમાં ભાગ લીધો હતો, જેનું સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક નૃત્ય, નુક્કડ નાટક અને ગીતો તેમજ ત્યારબાદ ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરના પ્રેરણાદાયી અને પ્રોત્સાહક સંવાદ સામેલ છે.

બીચ પરથી NCC કેડેટ્સ દ્વારા એકઠો કરવામાં આવેલો કચરો આગળ નિકાલ અને રિસાઇકલિંગની કામગીરી માટે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું

ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી…

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 711

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *