Breaking NewsLatest

બ્રેવો કેડેટ્સ: માધવપુર સ્થાનિક મેળાના સમાપન બાદ પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઈની કમાન સંભાળતા NCC કેડેટ્સ..

ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદ દ્વારા 10 એપ્રિલ 2022ના રોજ માધવપુર સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળાના સમાપન પછી ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલય દ્વારા 16 એપ્રિલ 2022ના રોજ “પુનિત સાગર અભિયાન”ના ભાગરૂપે માધવપુર બીચની વ્યાપક સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આપણા સમુદ્ર કિનારાઓ અને બીચ પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાની સામગ્રીઓથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટે તેમજ આ બીચોના નૈસર્ગિક સ્થળોની જાળવણી કરવા અંગે અને ત્યાં સ્વચ્છતા રાખવા માટે મોટી સંખ્યામાં લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના ઉદ્દેશથી NCC દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રવ્યાપી કવાયતના ભાગરૂપે આ સફાઇ કામગીરી કરવામાં આવી હતી. બીચની સફાઇ કામગીરી ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂર, કે જેમણે આ મુખ્ય કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો, તેમના નેતૃત્વમાં જામનગર NCC ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા આ વિસ્તારના અગ્રણી મહાનુભાવોમાં જામનગર NCC ગ્રૂપના ગ્રૂપ કમાન્ડર કોલોનલ એચ.કે. સિંહ, પોરબંદરના SDM, પોરબંદરના SP, અન્ય નાગરિક પ્રશાસન વિભાગના પ્રતિનિધિઓ સામેલ હતા. શાળાઓના આચાર્યો, દત્તક લેવામાં આવેલા ગામ ધરમપુરના સરપંચે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને કાર્યક્રમ શોભાવ્યો હતો.

22 એસોસિએટ NCC અધિકારીઓ, 19 કાયમી ઇન્સ્ટ્રક્ટર સ્ટાફ, 52 ભૂતપૂર્વ NCC કેડેટ્સ અને 4 ગુજરાત નેવલ યુનિટના 300 ઉત્સાહી કેડેટ્સે આ વ્યાપક બીચ સફાઇ કવાયતમાં ભાગ લીધો હતો, જેનું સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક નૃત્ય, નુક્કડ નાટક અને ગીતો તેમજ ત્યારબાદ ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરના પ્રેરણાદાયી અને પ્રોત્સાહક સંવાદ સામેલ છે.

બીચ પરથી NCC કેડેટ્સ દ્વારા એકઠો કરવામાં આવેલો કચરો આગળ નિકાલ અને રિસાઇકલિંગની કામગીરી માટે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *