Breaking NewsLatest

વલ્લભીપુર માં સશસ્ત્ર સીમા બલ ના જવાન વતન પરત આવતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ નું આજે આયોજન :

ભવ્યાતિભવ્ય જવાન વિશાલભાઈ નો આજે સ્વાગત કાર્યકર્મ : વલભીપુર વાસીઓ મોટી સંખ્યા માં જોડાશે :

વલ્લભીપુર શહેર ના રાજકીય તથા સામાજિક આગેવાન મનજીભાઈ પ્રેમજીભાઇ સાગઠીયા ના પુત્ર અને ખુબ જાગૃત અને યુવા ઓ ના પ્રેરણા દાયક યુવાન  એવા વિશાલ મનજીભાઈ સાગઠીયા જેઓં ને ભારત સરકાર ના સશસ્ત્ર સીમા બલ માં ભરતી થવા પામેલ હતા તેઓ એક વર્ષ થી વધુ સમય શિમલા ખાતે ટ્રેનીગ પૂર્ણ કરેલ જેને લઇ તાલીમ પૂર્ણ કરી ને વતન  વલ્લભીપુર પરત આજે આવી રહયા હોય ત્યારે વિશાલ મનજીભાઈ સાગઠીયા  નું વલ્લભીપુર વાસીઓ ભવ્યાતિભવ્ય સ્વાગત કાર્યક્રમ રાખેલ છે.જે તા:૦૭/૦૫/૨૨ ને શનિવાર ના રોજ સાંજે ૦૫ કલાકે  ઠક્કરબાપા છાત્રાલય વલ્લભીપુર થી મેઈન બજાર માં થઇ ડો.બાબા સાહેબ આંબેડકરજી ચોક તેમના નિવાસસ્થાન સુધી ડી.જે. સાથે વલ્લભીપુર ના તમામ રાજકીય પક્ષ ના આગેવાનો તથા કાર્યકરો ,સામાજિક સંસ્થા ના આગેવાનો ,વલ્લભીપુર ના લોકો વિશાળ સંખ્યા માં લોકો સ્વાગત કાર્યક્રમ ના જોડાશે .તેમજ વિશાલભાઈ રોહિત જ્ઞાતિ નું તથા સાગઠીયા પરિવાર નું ગૌરવ વધારેલ હોય વિશાલભાઈ સાયન્સ માં અભ્યાસ કરી અને ખુબ આર્થીકપરીસ્થિતિ નો સામનો કરી અવીરથ કાર્યરત રહી હિમત હાર્યા વગર સતત સઘર્ષ કરી ને દેશ ની સેવા માટે ભરતી થયા જેમાં થી હાલ યુવાનો એ વિશાલભાઈ માંથી પ્રેરણા લેવી જોઈએ .તેમજ વિશાલભાઈ ના પિતા મનજીભાઈ પ્રેમજીભાઇ સાગઠીયા જે વૃક્ષ પ્રેમી અને પક્ષી પ્રેમી હોય સેવાકીય કાર્ય હંમેશા કરતા હોય તેમજ તેમના માતા કંકુબેન મનજીભાઈ સાગઠીયા જેઓ હાલ વલ્લભીપુર નગરપાલિકા માં નગરસેવિકા તરીખે સેવા કાર્ય કરી રહયા છે.

અહેવાલ
ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *