Breaking NewsLatest

સાબરકાંઠા જિલ્લામાં રૂ. ૨.૫૦ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર ચેરિટી ભવનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું

હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે નવી ચેરિટી કચેરીનું નિર્માણ થશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કાયદામંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેરિટી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેની સાથે રાજ્યના ૮ જિલ્લામાં નિર્માણ થનાર નવા ચેરિટી કચેરીનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ડિજિટલ ઇન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં ચેરિટી તંત્રના આ યોગદાનની તેમણે સરાહના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે.
હવે, આ નવી બનનારી ચેરિટી કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે. ઉપરાંત, આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે.
કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજયના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમાં ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરિટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ આઠ જીલ્લાઓમાં ચેરિટી કચેરીઓના નવા ભવનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઓનલાઇન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ચેરિટીતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય કરાયો છે.
ગાંધીનગરથી વર્ચ્યુઅલ ખાતમૂર્હત પ્રસંગે રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ, કાયદા સચિવ શ્રી રાવલ, ચેરિટી કમિશનર શ્રી શુકલા અને વરિષ્ઠ અધિકારીઓ તેમજ સાબરકાંઠાથી જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, મદદનીશ ચેરીટી કમિશ્નર શ્રી એમ.એસ.સ્નેહી, જિલ્લા રજીસ્ટ્રાર શ્રી એ.પી.અસારી, જિલ્લાના સરકારી વકિલશ્રીઓ તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 640

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *