Latest

અંબાજી ખાતે મંગળવારે રાત્રે આવેલાં વાવાઝોડા થી ઝાડ પડ્યું

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોઈ બનાસકાંઠામાં બે ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે મંગળવારે મોડી સાંજે વરસાદ આવતા સાથે ભારે પવન અને વાવાઝોડું આવતા કેટલાય બેનર ફાટી ગયા હતા અને દાંતા તાલુકામાં ઘણી જગ્યાએ વૃક્ષો પડવાના બનાવ હતા.

અંબાજી આસપાસ આવેલા કેટલાક ગામોમા પણ વરસાદને કારણે ગ્રામ લોકોને ભારે હેરાન પરેશાન થવું પડ્યું હતું. અંબાજી ટેલીફોન એક્સચેન્જ પાસે મંગળવારે રાત્રે વાવાઝોડું આવતા એક વિશાળ વૃક્ષ લલીતભાઈ લુહાર ના મકાન પર પડ્યું હતું પણ સદનસીબે કોઈ કોઈ જાનહાની થઈ ન હતી. ટેલીફોન એક્સચેન્જ પાસેના લોકોમાં ભારે ગભરાટ પણ ફેલાયો હતો

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *