Latest

પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના સર્વશ્રેષ્ઠ સાંસદનો સતત ત્રણ વખત ખિતાબ પ્રાપ્ત કરનારા પૂર્વ સાંસદ ડૉ.કિરીટભાઇ સોલંકીએ પાટણ વાલ્મિકી સમાજના લોકોની ઝીણી રીત, રામજી મંદિર ખાતે મુલાકાત લીધી હતી, ત્યારે તેમની સાથે પાટણ નગર પાલિકાના એક્ટિવ કોર્પોરેટર રાજેશભાઈ હીરવાણિયા, ગુજરાત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પત્રકાર સંઘના નવ નિયુક્ત પ્રમુખ રમેશભાઈ સોલંકી, ડો આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ તેમજ અન્ય આગેવાનઑ સાથેની સૌજન્ય મુલાકાતે પધારેલા પૂર્વ સાંસદ સભ્ય ડૉ.કિરીટભાઇ સોલંકીનું પાટણ શહેર વાલ્મિકી સમાજના ઉપક્રમે સાફો, શાલ અને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું .અને સાથે પધારેલા મહેમાનો ને પણ સાલ, ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું હતું .

પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા સન્માન થતા પૂર્વ.સંસદ સભ્ય ડૉ.કિરીટભાઇ સોલંકીએ પ્રસન્નતા અનુભવી હતી અને કહ્યું હતું કે પાટણ શહેરના વાલ્મિકી સમાજના અગત્યના ત્રણ કામો જેમાં પાટણ નગર પાલિકા માં સફાઈ કામદારો ની કાયમી ભરતી,સિદ્ધપુર ચાર રસ્તા પાસેની સ્મશાનભૂમિ અને પાટણ ખાતે વાલ્મિકી સમાજ માટે વાલ્મિકી સમાજ ભવનના પ્રશ્ન માટેના દસ્તાવેજી ફાઇલનો અભ્યાસ કરી ,

પાટણ જિલ્લાના કલેક્ટરનુ અને ગુજરાત સરકારનું ધ્યાન દોરીને સત્વરે સમાજને લાભ મળે તેવો વિશ્વાસ આપેલો. કાર્યક્રમને સફળ બનાવવા પાટણ વાલ્મિકી સમાજના પ્રમુખ રામભાઈ, ઉપ પ્રમુખ અમૃતભાઇ,
પંચ પટેલ રાજુભાઈ, પંચ પટેલ અરવિંદભાઈ, કિશોરભાઈ ઉર્ફે લાલાભાઈ, પૂ.પ.પટેલ નરોત્તમભાઈ, પૂ.પ્રમુખ કિશોરભાઈ,કારોબારી સભ્ય પરસોતમભાઈ તેમજ સમાજના લોકો કોઈ ઉપસ્થિત રહીને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *