Latest

ભરતીમાં ભ્રષ્ટાચાર વલ્લભીપુર પાલિકામાં કરોડોનું કોભાંડ

નિયમ વિરુદ્ધ કર્મચારીઓની ભરતી જરૂર કરતાં વધુ સ્ટાફની ભરતી લાગવગીયાને લાખોની લ્હાણી નિષ્પક્ષ તપાસની માંગ

વલ્લભીપુર નગરપાલિકા ખાતે ઘણા લાંબા સમયથી ગેરકાયદે અને નિયમોને નેવે મૂકી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેની નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે તો ખુબ મોટું કોભાંડ ખુલ્લું પડે તેવું ચર્ચાઈ રહયું છે.

 ત્યારે વલ્લભીપુર નગરપાલિકા દ્વારા લાંબા સમયથી મહેકમ કરતા વધારે પ્રમાણમાં કર્મચારીઓને લાગવગ અને સબંધોના ધોરણે નોકરી આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

વલ્લભીપુર નગરપાલિકા ખાતે ઘણા લાંબા સમયથી ગેરકાયદે અને નિયમોને નેવે મૂકી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેને લઇ થોડા સમય પહેલા અમુક નગરસેવકોએ આ બાબતે લેખિત ફરિયાદ જવાબદાર તંત્રને કરી હતી,  જેમાં જણવ્યા મુજબ પાલિકામાં ભરતી પ્રક્રિયા સરકારના નીતિ-નિયમો વિરુધ કરેલ હોય અને મહેકમ કરતા વધારે કર્મચારીઓને રાખી ન શકાય તેમ છતાય પાલિકાના જવાબદારોએ વધુ કર્મચારીઓ રાખ્યા છે.

જેના કરોડોના પગાર પાલિકા ચૂકવી રહી છે. જેની જવાબદારી અમારી નહી રહે તેવી અમુક નગરસેવકોએ પાલિકાના અધિકારીને લેખિતમાં જાણ કરી હતી. જેને લઇ પ્રાદેશીક નિયામક  કચેરીએ પત્ર પણ લખવામાં આવ્યો હતો.

ત્યારબાદ પ્રાદેશીક કમિશ્નર નગરપાલિકાએ પત્રના અનુસંધાને પાલિકાના ચીફ ઓફિસરને વલ્લભીપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો ૧૯૭૧ /ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની જોગવાઈઓ મુજબ ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવા બાબતે પત્રમાં જણાવ્યું હતું.

તેમજ વધારાના રોજમદાર કર્મચારીઓને નિયમોનુસારની પ્રક્રિયા કરીને છુટા કરવા અને મહેકમને ધ્યાનમાં રાખી ખાલી જગ્યાઓ પર ૧૧ માસના કારર આધારિત કર્મચારીઓને ફિક્સ પગારથી રાખીને પ્રાદેશીક કમિશ્નર નગરપાલિકાને જણાવવા આદેશ આપ્યો હતો, તેમ છતાંય આજ દિન સુધી પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, તેમજ જવાબદારોએ કાર્યવાહી કરી નથી અને જીલ્લા અધિકારીઓના આદેશોને ઘોળીને પી ગયા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૬થી ૨૦૨૨ સુધીમાં સરેરાશ ૪૦ જેટલા કર્મચારી મહેકમ કરતા વધારે છે જેમના એવરેજ પગારની ગણતરી કરવામાં આવે તો માસિક ૧૨૫૦૦  લેખે ૪૦ મહેકમનો અંદાજીત પાંચલાખનો પગાર વધુ ચુકવવામાં આવે છે. તે હિસાબે વાર્ષિક ગણતરીએ સાઈઠ લાખ અને સાત વર્ષના હિસાબે ચાર કરોડ વીસ લાખ રૂપિયાનો પાલિકા પર બોજો પડ્યો છે જે કાગળ ઉપર થયેલો ગેરકાયદે ભ્રષ્ટાચાર છે. જેની વિજીલન્સ તપાસ કરવામાં આવે તો કરોડોનું કોભાંડ બહાર આવે તેમ છે.  આ બાબતે તાત્કાલિક નિષ્પક્ષ તપાસની માંગ ઉઠવા પામી છે.

અહેવાલ: ધમૅન્દ્રસિંહ સોલંકી –  વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *