Latest

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

અંબાજી ખાતે શ્રી જીણમાતાનો દ્વિતીય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા અને ભજન સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.અંબાજી મંદિરના સાત નંબર ગેટથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો સહિત શ્રદ્ધાળુઓ જોડાયા હતા.મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ભજન સંધ્યા કાર્યક્રમનો લાભ લીધો હતો. રાજસ્થાનના જાણીતા કલાકારોએ ભજન સંધ્યા અને કીર્તન કાર્યક્રમમાં પોતાની કલા રજૂ કરી હતી.

અંબાજી ખાતેના કાર્યક્રમમાં આદિત્ય શ્રૃંગાર, અખંડ જ્યોત, 56 ભોગ,જન્મોત્સવ, ચુનરી ઉત્સવ,ગજરા ઉત્સવ અને મહેંદી ઉત્સવ જેવા કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આનંદજી પારાશર, રીન્કુ ચોબે અને નરેશ રાવ બ્યાવર થી જાણીતા ભજન કલાકારો કાર્યક્રમમાં જોડાયા હતા.

આદિ શક્તિમાં જીણ ભવાની ચમત્કારી જીણ શક્તિ મંગલ પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આ ઉપરાંત શ્રી ઝીણ માતાને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી, અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 628

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *