સવારે શ્રમિકોનો જમાવડો, ટ્રાફિક માટે બન્યો માથાનો દુખાવો
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ શહેરના અખબાર નગર સર્કલ નજીક બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર જાણે કે શોભના ગાંઠીયા સમાન બની ગયું છે…
સવારના સમયે અખબારનગર સર્કલ પાસે કડિયાનાકું ભરાય છે જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થતા રોડ પર જાણે કે ચક્કાજામના દૃશ્યો સર્જાય છે…પરિણામે ટ્રાફિક જામની પણ અનેક વખત સમસ્યા જોવા મળે છે…જો કે જવાબદાર તંત્રને જાણે કે લોકોને પડતી અગવડતાનું કઈ ભાન જ ના હોય તેમ લાગી રહ્યું છે..
જો શ્રમિકોની સુવિધા માટે બનાવવામાં આવેલ શ્રમિક સુવિધા કેન્દ્રનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા માંથી પણ મુક્તિ મળી શકે છે.. હવે શું આ સુવિધા કેન્દ્રની ઉદ્ઘાટન થવાની કોઈ રાહ જોવાઇ રહી છે કે આ માત્ર શોભના ગાંઠિયા સમાન બની રહેંશે તેવી લોકચર્ચા જોવા મળી રહી છે.
















