Latest

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

શ્યામ મંદિર ના મહંત શ્યામ બાપુ ઉપસ્થિત રહી દરેક દીકરીઓ ને મંદિર નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી આશીર્વાદ આપ્યા

શ્યામ ધામ સરસીયા ની દિકરીઓનુ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ જેમાં શ્યામ મંદિર ના મહંત શ્યામ બાપુ સહિત વતનપ્રેમી રતનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત ખાતે રાખવામાં આવેલ આ પ્રથમ સ્નેહમિલન ની તડામાર તૈયારીઓ થય રહેલ હતી અને આન બાન અને શાન સાથે કાર્યક્રમ નું આયોજન હાથ ધરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં સરસીયા ગામ શ્યામ મંદિર ના મહંત શ્યામ બાપુ ઉપસ્થિત રહી દરેક દીકરીઓ ને મંદિર નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી આશીર્વાદ આપેલ હતા. રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઇ શેલડીયા દ્વારા પોતાના પ્રેરણાદાઈ વ્યક્તવ્ય માં ગૃહ કલેશ,અંધશ્રદ્ધા, કુરિવાજો થી દૂર રહી કુટુંબ ભાવના સાથે એક બીજા ને ઉપયોગી થવા અને પ્રસંગો પાત ઉપયોગી થવા અનુરોધ કરી આયોજક ટીમને અભિનંદન આપી બિરદાવ્યા હતા .

અમિતભાઈ બાબરીયા દ્વારા પ્રાસંગિક પ્રવચન માં વસુધૈવ કુટુંમ્બ ની વાત કરી ધાર્મિક અને આધ્યાત્મિક વૃત્તિ સાથે જોડાઈ રહેવા સમજણ આપી. મુંબઈ સ્થિત અરુણભાઈ મૂછાળા દ્વારા દરેક દીકરીઓ ને યાદગીરી રૂપે સાડી ભેટ માં આપી ને જૂની યાદો જીવંત રાખવા ની વાતો કરી.સરસીયા ગામ પટેલ સમાજ દ્વારા પણ આયોજક ટિમ ને પ્રોત્સાહન રૂપે આર્થિક ડોનેશન આપી મદદ રૂપ બન્યો.દીકરીઓ ની લાગણી ને માન આપી પટેલ સમાજ વતી મહેશ ભાઈ નાકરાણી દ્વારા સંન્માન સ્વીકારાયું હતુ.એન્કર સુરભીબેન વાગડીયા દ્વારા તેમના સુમધુર અવાજ થી સ્ટેજ ને સુંદર રીતે સોભાવ્યું હતુ. સુરત શહેર ખાતે સાસરે એવી સરસીયા ગામ ની દીકરીઓ દ્વારા પ્રથમ સ્નેહમિલન નું આયોજન કરવા માં આવ્યું જેમાં સરસીયા થી શ્યામ બાપુ સાથે અગ્રણી જીતુભાઇ શેલડીયા,મહેશભાઈ નાકરાણી,અમિતભાઇ બાબરીયા અને તેમની ટીમના મેમ્બરો ઉપસ્થિત રહી દીકરીઓ ના ઉત્સાહ માં પ્રેરણા પ્રદાન કરી આયોજક દીકરી ઓ દ્વારા વર્ષો પેહલા સાસરે ગયેલી દીકરીઓ ને આમન્ત્રિત કરી વેલકમ કરી કુમકુમ તિલક કરી ને આવકારી હતી સૌ કોઈ સાથે મળી ને જૂની યાદો જીવંત કરી ને ખુબ આનંદ કર્યો આજના આધુનિક અને ઝડપી યુગમાં દીકરી ઓ માત્ર પોતાના પરિવાર જ નહિ પરંતુ સમગ્ર સમાજ ની શક્તિ છે આ સ્નેહ મિલન નો મુખ્ય હેતુ એક બીજા ની ઓળખાણ જૂની યાદો અને રમત ગમત નહિ પરંતુ દીકરી ઓ ની આત્મનિર્ભરતા,સમજણ,સંસ્કાર અને દરેક દીકરી પોતાના પરિવાર નું ગૌરવ છે તે દિશા માં પ્રેરણાદાઈ સંબોધનો થયા મેહમાનો ઓ પણ પોતાની ઉપસ્થિત થી સ્નેહમિલન ની શોભા વધારી આ પ્રસંગે ગામ પરિવાર ની 400 જેટલી દીકરી ઓ ઉપસ્થિત રહી આયોજક દીકરો નો ઉત્સાહ વધાર્યો આ પ્રસંગ નું હીરાબેન પ્રાગજીભાઈ શેલડીયા,હર્ષાબેન પ્રાગજીભાઈ શેલડીયા,ભક્તિબેન ધીરુભાઈ ગેલાણી,વિલાસબેન હરિભાઈ વસોયા,જાગૃતીબેન હરિભાઈ વસોયા,વિલાસબેન પોપટભાઈ શેલડીયા,ચંદ્રિકાબેન શંભુભાઈ શેલડીયા,રીટાબેન ભીમજીભાઈ નાકરાણી,દક્ષાબેન ભીમજીભાઈ નાકરાણી,જયશ્રીબેન રાઘવભાઈ શેલડીયા,શ્રદ્ધા પોપટભાઈ રાઠોડ,ક્રિષ્નાબેન વિનુભાઈ વસાણી,મનિષાબેન રાઘવભાઈ શેલડીયા,શિલ્પાબેન ગોબરભાઈ શેલડીયા ,ભાનુબેન વલ્લભભાઈ શેલડીયા,કશીશ ભરતભાઈ બાળધા,નીતાબેન ખોડાભાઈ વઘાસિયા,ભારતીબેન ધીરુભાઈ નાકરાણી,ધર્મિષ્ઠા ધીરુભાઈ ગેલાણી,ઇલાબેન નાગજીભાઈ વઘાસિયા,ચેતનાબેન ખોડાભાઈ વઘાસિયા,સોનલબેન ખોડાભાઈ વસોયા,ભાનુબેન હીરજીભાઈ કથીરિયા,વિલાસબેન સવજીભાઈ કથીરિયા દવારા સફળ આયોજન કરવામાં આવ્યું સ્વયંમ દીકરી ઓ દ્વારા આયોજન કરાતા તેમને પોતાને પણ આત્મવિશ્વાસ,સમર્પણ,સંસ્કાર અને જવાબદારી નો અહેસાસ થયો સાથે મહિલા ધારે તો કઈ પણ કરી શકે નો સમાજ માં સંદેશ પ્રસરાવ્યો અને નારીશક્તિ માં આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારી નો સંચાર કર્યો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *