Latest

અરવલ્લી જિલ્લાના સખીવન સ્ટોપ સેન્ટરના શ્રદ્ધા બેન પટેલ અને તેમની ટીમ ના કર્મચારીઓની સરાહનીય કામગીરી

યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપી કપડાં તેમજ જીવન જરૂરિયાતની કીટ પૂરી પાડી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

યુવતી તેમજ માતા-પિતાનું યોગ્ય કાઉન્સિલિંગ કરીને સુખદ મિલન કરાવતુ અરવલ્લી સખીવન સ્ટોપ સેન્ટર

“સખી” વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી ખાતે આવેલ બેનની હકિકત એવી હતી કે બેનને તેમના બાજુના ગામના એક યુવક સાથે ત્રણ વર્ષથી પ્રેમ સમ્બંધ હતો અને બન્ને સાથે લગ્ન કરવાની પ્રોમિસ કરી હતી. પરંતુ ચાર-પાંચ દિવસથી યુવકે બેન સાથે વાત કરવાની બંધ કરી કરી અને બીજી જગ્યાએ તે યુવકે સગાઇ નક્કી કરી જેની જાણ બેનને થતા બેન તેમના ઘરે ગયા હતા.

જેયાં તે યુવકની માતા અપશબ્દો બોલીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરેલ અને ૧૮૧ ની ટીમ બેનને તેના પિતાના ઘરે લઈ ગયા હતા પણ તેમના માતા-પિતાએ રાખવાની ના પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ છે.

સખી વન સ્ટોપ સેન્ટરના શ્રધાબેન પટેલ અને તેમના સથી કર્મચારીઓ ધ્વારા બેનને આશ્રય આપી બેનને કપડા અને જીવન જરુરીયાતની ચીજ વસ્તુની કિટ આપવામાં આવેલ.

કેંદ્ર સંચાલક શ્રધ્ધા બેન પટેલ ધ્વારા કાઉન્સેલિંગ કરી બેનને આશ્વાસન આપવામાં આવેલ. બીજા દિવસે સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે મેડિકલ સારવાર કરાવેલ અને ત્યારબાદ તે યુવકને અને તેમના પરિવારને સેન્ટર પર બોલાવી કાઉન્સેલિન્ગ કરી કાયદાકિય રીતે પણ સમજાવેલ પરંતુ તે રાખવા તૈયાર ન હતો અને બેન તેના માતા-પિતા જોડે જવા તૈયાર ન હતા.

સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર અને કેન્દ્ર સંચાલક ધ્વારા બેનનુ ચાર-પાંચ વાર કાઉન્સેલિન્ગ કરી તેમજ તેમના માતા-પિતાને પણ સેન્ટર પર બોલાવી સમજાવેલ.

બેનને પોતાના માટે નિર્ણય લેવા સક્ષમ બનાવી બેન પોલિસ સ્ટેશનમા અરજી આપવા માંગતા હોઇ મહિલા પોલિસ સ્ટેશનમા અરજી કરાવેલ અને બેનના માતા-પિતાને સેંટર પર ફરી બોલાવવામા આવેલ અને કાઉન્સેલિંગ કરી સમજાવી બેનને માતા-પિતા સાથે સુખદ મિલન કરાવી પુન:સ્થાપન કરાવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *