GPSC ક્લાસ- 2ના નવા ભરતી
નિયમો સામે વિરોધ કર્યો વન વિભાગમાં એક મહિનાનો નોટિસ પિરિયડ માગ્યો..
ગુજરાત વન વિભાગના કરાર આધારિત ફરજ બજાવતા 12 વેટરનરી ડોક્ટરોએ સામૂહિક લેખિતરાજીનામા ધરી દીધા..
ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, અને સક્કરબાગ ઝૂ સહિતના વિસ્તારો માંથી રાજીનામાથી વન વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો..
ગીરના સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા
જેવા ગંભીર રોગોનો પ્રકોપ જોવા મળી રહ્યો છે…
વેટરનરી ડોક્ટરોએ રાજીનામા આપતા વન્યપ્રાણીઓની સારવાર અને સંભાળ સામે અનેક પ્રશ્ન ઊભો થયો..
તમામ તબીબો એક મહિનાનો નોટિસ પિરિયડ પૂર્ણ કરીને આગામી
15 જૂનથી સત્તાવાર રીતે ફરજમુક્ત થશે..
રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગુજરાત જાહેર સેવા આયોગ
(GPSC) દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે જાહેર કરાયેલી
18 કાયમી વેટરનરી ઓફિસર (વર્ગ-2)ની ભરતી સામેનો વિરોધ કર્યો..
તબીબોનો આક્ષેપ છે કે નવી ભરતી પ્રક્રિયામાં પશુપાલન
વિભાગના નિયમો લાગુ કરવામાં આવ્યા …
વન્યપ્રાણીઓની સારવારનો વર્ષોનો અનુભવ ધરાવતા
ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું પ્રાધાન્ય કે વેઇટેજ આપવામાં આવ્યું
નથી..
અગાઉ ગીર ફાઉન્ડેશન, ઇન્દ્રોડા પાર્ક-ગાંધીનગર ખાતે પશુચિકિત્સા
અધિકારીઓની ભરતીમાં વન્યજીવ અથવા પ્રાણી સંગ્રહાલય ક્ષેત્રના
ઓછામાં ઓછા એક વર્ષના અનુભવને ફરજિયાત મહત્વ આપવામાં આવતું..
તબીબોની માગ છે કે વર્તમાન ભરતીના નિયમોમાં પણ (રિક્રુટમેન્ટ રૂલ્સ)
સુધારો કરીને અનુભવી ઉમેદવારોને યોગ્ય પ્રાધાન્ય મળવું જોઈએ,…
વન વિભાગમાં સેવા આપતા તબીબોની કારકિર્દીને નુકસાન ન થાય. આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી..
રિપોર્ટર ટીનુભાઈ લલિયા ધારી
















